૨૪-કડી (અ.જા.) તથા ૮૭-વિસાવદર વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી-૨૦૨૫
જૂનાગઢ, 28 મે (હિ.સ.) ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર રાજયની ૨૪-કડી (અ.જા.) તથા ૮૭-વિસાવદર વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી માટેનું જાહેરનામું તા.૨૬.૦૫.૨૦૨૫ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવતા સંબંધિત ચૂંટણી અધિકારીશ્રી પાસે ઉમેદવ
૨૪-કડી (અ.જા.) તથા ૮૭-વિસાવદર વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી-૨૦૨૫


જૂનાગઢ, 28 મે (હિ.સ.) ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર રાજયની ૨૪-કડી (અ.જા.) તથા ૮૭-વિસાવદર વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી માટેનું જાહેરનામું તા.૨૬.૦૫.૨૦૨૫ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવતા સંબંધિત ચૂંટણી અધિકારીશ્રી પાસે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થયેલ છે.

સદર વિધાનસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં આજ તા.૨૮.૦૫.૨૦૨૫ ના રોજ નીચે મુજબના ઉમેદવારોએ ઉમેદવારીપત્રો રજૂ કરેલ છે.

ક્રમ- ઉમેદવારનું નામ - પક્ષ - વિધાનસભા મતવિભાગ

૧ - મકવાણા કમલેશભાઈ નારણભાઈ - સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી - ૨૪-કડી (અ.જા.)

૨ - પ્રજાપતિ રાજભાઈ ચંદ્રકાન્‍તભાઈ - અપક્ષ - ૮૭-વિસાવદર

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૪ના સંદર્ભમાં ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારીપત્રો સાથે સોગંદનામું (એફિડેવિટ- ફોર્મ-૨૬) પણ રજૂ કરવાનું રહે છે. જેથી ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવતા સોગંદનામા (ફોર્મ-૨૬) રજૂ કર્યાના ૨૪ કલાકની અંદર મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાતની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. જે https://ceo.gujarat.gov.in/Home/Affidavits-of-Candidates લિન્‍ક પર જઈને જોઈ શકાશે.

ઉમેદવારીપત્રો તા.૦૨.૦૬.૨૦૨૫ ના રોજ બપોરે ૦૩.૦૦ કલાક સુધી રજુ કરી શકાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande