નવસારી જિલ્લામાં 21736 ખેડૂતો દ્વારા 7074 એકરમાં વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ વિસ્તારી
નવસારી, 28 મે (હિ.સ.)-પ્રાકૃતિક ખેતી એ એક એવી ખેતી પધ્ધતિ છે કે જેમાં જમીનનામાં પાક ઉત્પાદકતા શક્તિમાં વધારો થાય છે અને પાણી અને હવાની ગુણવત્તામાં સુધારો થાય છે. પ્રાકૃતિક ખેતી પધ્ધતિ પોષક તત્વોથી ભરપુર ખોરાકનું ઉત્પાદન કરવામાં મદદ કરે છે. આબોહવા પ
Navsari


નવસારી, 28 મે (હિ.સ.)-પ્રાકૃતિક ખેતી એ એક એવી ખેતી પધ્ધતિ છે કે જેમાં જમીનનામાં પાક ઉત્પાદકતા શક્તિમાં વધારો થાય છે અને પાણી અને હવાની ગુણવત્તામાં સુધારો થાય છે. પ્રાકૃતિક ખેતી પધ્ધતિ પોષક તત્વોથી ભરપુર ખોરાકનું ઉત્પાદન કરવામાં મદદ કરે છે.

આબોહવા પરિવર્તન (ગ્લોબલ વોર્મિંગ)ની સમસ્યાઓનો સામનો કરવા અને જમીનની ફળદ્રુપતા પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી છે પ્રાકૃતિક ખેતી

પ્રાકૃતિક ખેતી એ રાસાયણિક મુક્ત અથવા પરંપરાગત ખેતી પદ્ધતિ છે. જે જૈવિવિવધતા સાથે પાક, વૃક્ષો અને પશુઓ સાથે દ્વારા કરવામાં આવતી કૃષિ પધ્ધતિ છે. તેને એગ્રોઇકોલોજી આધારિત જૈવ વિવિધતા પર આધારિત ખેતી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. એક સંશોધન દર્શાવે છે કે છોડના વિકાસ માટે જરૂરી 98 થી 98.5% પોષક તત્વો છોડ હવા, પાણી અને સૌર ઉર્જામાંથી મેળવે છે તથા બાકીના 1.5% પોષક તત્ત્વો છોડના મૂળની આસપાસની જમીનમાં ઉપલબ્ધ છે. પ્રાકૃતિક ખેતી મોટાભાગે ખેતરના જૈવિક કચરાને વિઘટન (રિસાયક્લિંગ) કરવા પર આધારિત છે, જેમાં પાકના અવશેષોનો ખેતરમાં આચ્છાદન માટે ઉપયોગ કરવામાં આવે છે તથા નાઇટ્રોજન ફિક્સિંગ કરતા પાકો પર વધારે ભાર મુકવામાં આવે છે. પાકૃતિક કૃષિમાં પાક વિવિધતામાં મિશ્ર પાક પદ્ધતિ અને ગાયના છાણ-મૂત્ર દ્વારા વિવિધ ફોર્મુલેશન બનાવવા પર આધારિત છે.

પ્રાકૃતિક ખેતી કરવાથી ખેતી ખર્ચમાં (ઈનપુટ ખર્ચમાં) ઘટાડો થાય છે અને મિશ્ર પાક કરવાથી પાક નિષ્ફળતાના જોખમને ઘટાડી ખેડૂતોની આવક વધારવામાં મદદ કરે છે. પ્રાકૃતિક ખેતી ખેતરના કચરાને રીસાયકલીંગ કરી તેમાંથી ઈનપુટ એગ્રો-વેસ્ટમાંથી ફાર્મ-રેડી ઇનપુટ્સના ઉપયોગને પ્રોત્સાહન આપે છે જેનાથી ખેડૂતો આત્મનિર્ભર બને છે. પ્રાકૃતિક ખેતી કૃત્રિમ રાસાયણિક ઇનપુટ્સનો ઉપયોગ કરવામાં આવતો નથી અને આ રીતે ઝેરમુક્ત (રસાયણિક કેમિકલ મુક્ત) આરોગ્યપ્રદ ખોરાક મળે છે. પ્રાકૃતિક ખેતી દુષ્કાળ, કીટકો, રોગો અને અન્ય આબોહવા-સંબંધિત જોખમો સામે રક્ષણ કરી ખેડૂતોની આવકમાં સ્થિરતા લાવે છે. પ્રાકૃતિક ખેતી જમીનની ગુણવત્તામાંમાં સુધારો કરે છે અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે.

પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ અપનાવવા માટે સૌ પ્રથમ ખેડુતોએ પોતાની ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો વપરાશ બંધ કરવો જોઇએ અને દેશી ગાયના ગૌમૂત્ર , ગોબરમાંથી તૈયાર કરેલ ઘનજીવામૃતનો ઉપયોગ કરી જમીન તૈયાર કરવી, ત્યાર બાદ વાવેતર વખતે પાક્ના બીયારણને બીજામૃતનો પટ આપી વાવેતર કરવુ અને ઉભા પાકમાં પિયતના પાણી સાથે જીવામૃત આપવું, પાકૃતિક કૃષિના પંચામૃત મુજબ સંપુર્ણ ખેતી કરવાથી સારા પરિણામો મળે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande