પોરબંદર, 28 મે (હિ.સ.) પોરબંદર શહેરમાં તા.29મેના રોજ સાંજે 8 વાગે “ઓપરેશન શિલ્ડ” અંતગર્ત બ્લેક આઉટ કરવામાં આવશે આ બ્લેક આઉટ મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ પ્રકારના હવાઈ હુમલાની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત રાખવા અને અસરકારક નાગરિક સંરક્ષણ સુનિશ્ચિત કરવાનો છે. જે અન્વયે આજરોજ ઇન્ચાર્જ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરી અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી પોરબંદર ખાતે બેઠક યોજાઈ હતી.જેમાં જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, પોરબંદર શહેર સાથે રાણાવાવ નગરપાલિકા અને કુતિયાણા નગરપાલિકા વિસ્તારમાં તા.29 મે સાંજે 8 વાગે “ઓપરેશન શિલ્ડ” અંતગર્ત બ્લેક આઉટ કરવામાં આવશે.
વધુમાં કલેક્ટરએ બ્લેકઆઉટ મોકડ્રીલ સારી રીતે કરી શકાય તે માટે સંબંધિત વિભાગના અધિકારીઓ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.ઉલ્લેખનીય છે કે,આકસ્મિક પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે બ્લેકઆઉટ (અંધારપટ)ની મોકડ્રીલ તારીખ 29 મે 2025 ના રોજ રાત્રે 8 થી 8:30એટલે કે 30 મિનિટ સુધી યોજાશે. જેમાં પોરબંદરવાસીઓને સ્વેચ્છાએ પોતાના ઘરની લાઈટ બંધ કરવા વહીવટી તંત્ર તરફથી અપીલ કરાઈ છે. આ સમય દરમિયાન કોઈપણ પ્રકારની લાઇટ ચાલુ ના રાખવામાં આવે તે માટે પણ અનુરોધ કરાયો છે.નોંધનીય છે કે, ઓપરેશન શિલ્ડઅંતર્ગત મોકડ્રિલ યોજવાનો ઉદ્દેશ કઠિન પરિસ્થિતિમાં જાહેર જનતા કઈ રીતે સરકારને મદદરૂપ થઈ શકે તે સુનિશ્ચિત કરવા સાથે સ્થાનિક તંત્ર સાથે સહયોગ સાધવા માટેનો છે. આ મોકડ્રીલથી નાગરિકોને ડર કે ભય અનુભવવાની જરૂરિયાત નથી.વધુમાં આ મોકડ્રિલ સમયે સાયરન વાગે તો નાગરિકોએ ગભરાવું નહીં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya