ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેના નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેકટરએ, ચૂંટણી પંચની માર્ગદર્શિકા વિશે પત્રકારોને માહિતી આપી..
ગીર સોમનાથ 29 મે (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં ૧૫૩ ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થયો છે. ગીર સોમનાથ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેના નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેકટરએ ચૂંટણી પંચની માર્ગદર્શિકા વિશે પત્રકારોને માહિતી આપી..રા
કલેકટરએ ચૂંટણી પંચની માર્ગદર્શિકા વિશે પત્રકારોને માહિતી આપી..


ગીર સોમનાથ 29 મે (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં ૧૫૩ ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થયો છે.

ગીર સોમનાથ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેના નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેકટરએ ચૂંટણી પંચની માર્ગદર્શિકા વિશે પત્રકારોને માહિતી આપી..રાજ્યમાં આગામી સમયમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવા જઈ રહી છે. જે અંગે ગીર સોમનાથ જિલ્લામાં પણ ૧૫૩ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે...જેને લઈને ચૂંટણી પંચની માર્ગદર્શિકા અન્વયે આજથી જ જિલ્લામાં આદર્શ આચારસંહિતાની શરૂઆત થઈ...

ચૂંટણી પંચના નોડલ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે આજે પ્રાંત કચેરી ખાતે પત્રકાર પરિષદમાં તંત્ર દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણી દ્વારા માટે કરવામાં આવેલી તૈયારીઓની વિગતવાર વિગતો આપી હતો. ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે સભા-સરઘસ, લાઉડ સ્પીકર, પોસ્ટર વગેરે અંગે ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર નિર્ધારિત કરવામાં આવેલી કાર્યરીતિને અનુસરવાનું રહેશે. જિલ્લા કક્ષાએ આ માટેના નોડલ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે જે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે કાર્ય કરશે. જિલ્લામાં તારીખ ૨૨ જૂનના રોજ મતદાન યોજાશે, ૨૫ જૂનના રોજ મતગણતરી યોજાશે અને ૨૭ જૂનના રોજ સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે...

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande