ગીર સોમનાથ 29 મે (હિ.સ.) સુત્રાપાડા બંદર મુકામે આજ રોજ સુત્રાપાડા બંદર પંચાયત દ્વારા પાણી આપવામાં આવેલ તેમાં ખૂબ જ મોટી સંખ્યાઓમાં વંદાઓ પાણીમા નિકળેલ છે. આની અગાઉ પણ પાણીમાં ખૂબ જ કચરો અને કબૂતરના પીછાઓ નીકળેલા છે છતાં પણ પંચાયત દ્વારા કોઈપણ જાતનું પાણી ચોખ્ખું રાખવા અંગેની કોઇ ક્રિયા હાથ ધરવામાં આવેલ નથી.
આજરોજ જે વંદાઓ નીકળેલ છે તેના ફોટોગ્રાફ્સ અહીં સામેલ કરી.આ ઉપરાંત ગામમાં ખૂબ જ ગંદકી થઈ ગયેલ છે જેમાં રામેશ્વર વિસ્તાર તાલુકા પંચાયત ની પાછળ મેદાન માં ખૂબ જ ગંદકી થયેલ છે. ઉપરાત પરબત ની દુકાન વાલી ગલી ના રસ્તાઓ ઉપર ખૂબ જ ગંદુ પાણી ધોળવામા આવે છે.જેની અમે પંચાયતને વારંવાર જાણ કરવા છતાં કોઈપણ જાતનું નિકાલ કરવામાં આવતું નથી. તેથી આપ સાહેબ અમારા આ પ્રશ્નો નું નિરાકારણ થાય અને પંચાયતને આ પ્રશ્નોના નિકાલ માટે તાત્કાલિક પગલા લેવા માટે જાણ કરવામાં આવે અને તરત જ ગામમાં ગંદકી,પાણી અને કચરાઓના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેની તાલુકા પંચાયત ખાતે રજુવાત કરાય ટી.ડી.ઓને આવેદન પત્ર આપ્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ