પોરબંદર, 29 મે (હિ.સ.) જેસીઆઈ ઇન્ડિયાના રાષ્ટ્રીય પ્રમુખ અંકુર જુનજુનવાલા ઝોન સાત ગુજરાતની ખાસ મુલાકાતે પધાર્યાં હતા. આ મુલાકાત દરમિયાન ધોરાજી ખાતે ઝોન સાતના હોદેદારો સાથે મીટિંગ યોજી હતી આ મુલાકાત દરમિયાન જેસીઆઈ પોરબંદરના સભ્યો સાથે પણ ખાસ સમિક્ષા બેઠક યોજી હતી. આ મિટિંગમાં જેસીઆઈ પોરબંદર પ્લસ દ્વારા કરવામાં આવેલ દરેક પ્રોજેક્ટ અને આવનાર સમયમાં ક્યા પ્રકારના કાર્યક્રમોના આયોજન થનાર છે તેની વિગતવાર માહિતી મેળવી હતી. જેસીઆઈ પોરબંદર દ્વારા નેશનલ લેવલે અને સ્થાનિક કક્ષાએ કરેલી કામગીરીને પણ બિરદાવી હતી.
જેસીઆઈ પોરબંદર પ્લસ દ્વારા થઈ રહેલી પ્રવૃત્તિઓની ઝોન અને નેશનલ કક્ષાએ નોંધ લેવામાં આવે છે તે બાબતે પણ રાષ્ટ્રીય પ્રમુખ જુનજુનવાલાએ અભિનંદન પાઠવ્યા હતા. પોરબંદરમાં જેસીઆઈ શરૂ થયાના ખૂબ ટુંકા સમયમાં ઝોન પ્રમુખ અને રાષ્ટ્રીય ખજાનચી સુધીના ખૂબ જ મહત્વના હોદ્દાઓ પ્રાપ્ત કરવા બદલ પણ જેસીઆઈ પોરબંદરના તમામ સભ્યોને અભિનંદન પાઠવી ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.રાષ્ટ્રીય પ્રમુખની આ વિઝીટ દરમિયાન જેસીઆઈ પોરબંદરના પ્રમુખ રાધેશ દાસાણી, ભાવેશ તન્ના, રાજેશ રામાણી વગેરે હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya