પોરબંદર, 29 મે (હિ.સ.) પોરબંદર તાલુકાના રતનપર ગામની જમીન અંગે ગુજરાત હાઈકોર્ટમાં ચાલતા SCA NO. 11499/2001 સીમેન્ટ વર્કસ મંડળ વિરુધ્ધ કલેકટરના કામે ગુજરાત હાઈકોર્ટ દ્વારા વંચાણે લીધાં તા.09-04-2025 ના ઓરલ ઓર્ડર તથા તા.22-04-2025 ના રોજની સુનાવણીમાં થયેલ આદેશાનુસાર રતનપુર ગામના રે.સ.નં.1992 (જૂના સ.નં.265)ની જમીન હે. 1-99-31 ની ઔદ્યોગિક હેતુ માટે બિનખેતી હેતુ માટેની જમીનમાં કુલ 1 થી 17 પ્લોટની જમીન મહેસુલ કાયદાની કલમ-166 મુજબ મિલકતનું જાહેરનામું બહાર પાડીને વેચાણ કરવામાં આવશે.આ કામગીરી કરવા માટે જમીન મહેસુલ કાયદાની કલમ-167 મુજબ વેચાણ કરનાર અધિકારી તરીકે નાયબ કલેક્ટરને અધિકૃત કરવામા આવ્યા છે. આ જમીનની જાહેર હરરાજી તા.16-06-2025 ના રોજ સમય :11-00 થી 13-00http://e-auction.nprocure.com વેબસાઈટ પર કરવામાં આવશે. તેમજ જમીનમાં પાડવામાં આવેલ પ્લોટની અપસેટ પ્રાઈઝ સાથે દર્શાવેલ છે, તો જમીનના કબજાની કિંમત ભરીને જાહેર હરરાજીથી રાખવા ઈચ્છતા હોય તેવા સંબંધકર્તાઓએhttp://e-auction.nprocure.com વેબસાઈટ પર જરૂરી કાર્યવાહી કરી હરાજીમાં ભાગ લઈ શકશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya