પોરબંદર જિલ્લાના રતનપુર ગામના જમીન રે.સ.નં.1992ની જાહેર હરાજી કરાશે.
રતનપુર ગામના જમીનની જાહેર હરાજી કરાશે.
પોરબંદર જિલ્લાના રતનપુર ગામના જમીન રે.સ.નં.1992ની જાહેર હરાજી કરાશે.


પોરબંદર, 29 મે (હિ.સ.) પોરબંદર તાલુકાના રતનપર ગામની જમીન અંગે ગુજરાત હાઈકોર્ટમાં ચાલતા SCA NO. 11499/2001 સીમેન્ટ વર્કસ મંડળ વિરુધ્ધ કલેકટરના કામે ગુજરાત હાઈકોર્ટ દ્વારા વંચાણે લીધાં તા.09-04-2025 ના ઓરલ ઓર્ડર તથા તા.22-04-2025 ના રોજની સુનાવણીમાં થયેલ આદેશાનુસાર રતનપુર ગામના રે.સ.નં.1992 (જૂના સ.નં.265)ની જમીન હે. 1-99-31 ની ઔદ્યોગિક હેતુ માટે બિનખેતી હેતુ માટેની જમીનમાં કુલ 1 થી 17 પ્લોટની જમીન મહેસુલ કાયદાની કલમ-166 મુજબ મિલકતનું જાહેરનામું બહાર પાડીને વેચાણ કરવામાં આવશે.આ કામગીરી કરવા માટે જમીન મહેસુલ કાયદાની કલમ-167 મુજબ વેચાણ કરનાર અધિકારી તરીકે નાયબ કલેક્ટરને અધિકૃત કરવામા આવ્યા છે. આ જમીનની જાહેર હરરાજી તા.16-06-2025 ના રોજ સમય :11-00 થી 13-00http://e-auction.nprocure.com વેબસાઈટ પર કરવામાં આવશે. તેમજ જમીનમાં પાડવામાં આવેલ પ્લોટની અપસેટ પ્રાઈઝ સાથે દર્શાવેલ છે, તો જમીનના કબજાની કિંમત ભરીને જાહેર હરરાજીથી રાખવા ઈચ્છતા હોય તેવા સંબંધકર્તાઓએhttp://e-auction.nprocure.com વેબસાઈટ પર જરૂરી કાર્યવાહી કરી હરાજીમાં ભાગ લઈ શકશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande