ઉધનામાં મહારાષ્ટ્રના સરકારી બસમાંં 56 હજારની ચોરી
સુરત, 29 મે (હિ.સ.)-ઉધના સ્વામી નારાયણ મંદિરની સામે પાર્ક કરેલ મહારાષ્ટ્રની એસ.ટી બસમાંથી કોઈ અજાણ્યો રોકડા 28 હજાર, ટીકીટ, ઈવીએમ મશીન, કંડકટરનો યુનીફોર્મ સહિતના સામાન મળી કુલ રૂપીયા ૫૬ હજારના મતાની ચોરી કરી નાસી ગયો હતો. ઉધના પોલીસના જણાવ્યા મુજબ
ઉધનામાં મહારાષ્ટ્રના સરકારી બસમાંં 56 હજારની ચોરી


સુરત, 29 મે (હિ.સ.)-ઉધના સ્વામી નારાયણ મંદિરની સામે પાર્ક કરેલ મહારાષ્ટ્રની એસ.ટી બસમાંથી કોઈ અજાણ્યો રોકડા 28 હજાર, ટીકીટ, ઈવીએમ મશીન, કંડકટરનો યુનીફોર્મ સહિતના સામાન મળી કુલ રૂપીયા ૫૬ હજારના મતાની ચોરી કરી નાસી ગયો હતો.

ઉધના પોલીસના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર, જલવાંગ, જામનેરના પહુરગામમાં અહલ્યાદેવી ધોલપ ખાતે રહેતા સચીન નંદુભાઈ આસકર (ઉ.વ.32) જલવાંગના જામનેર એસ.ટી ડેપોમાં કંડકટર તરીકે નોકરી કરે છે. ગત તા ૨૫મીના રોજ તેઓ જામનેર ખાતે એસ.ટી બસ લઈને સુરત આવ્યા હતા અને સાંજના ઉધના બસ ડેપો ખાતેથી મુસાફરને લઈને નિકળયા હતા. ઉધના સ્વામીનારાયણ મંદીર પાસે પહોચ્યા હતા.અને જાહેર રોડ બસ પાર્ક કરી જમીને સુઈ ગયા હતા. આ દરમિયાન કોઈ અજાણ્યાએ બસમાંથી ઈવીએમ મશીન, રોકડા 22,888 તથા ટીકીટ ટ્રે, તેમનો કંડકટરનો યુનીફોર્મ, કંટકટર લાયસન્સ, ડ્રાઈવીંગ લાયસન્સ મલી કુલ રૂપિયા 56,265 ના મતાની ચોરી કરી નાસી ગયો હતો. બનાવ અંગે બસના કંડકટર સચીન આસકરે ફરિયાદ નોધાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande