સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર નરાધમ ને કેશોદ પોલીસે ઝડપી લીધો
જૂનાગઢ 30 મે (હિ.સ.) કેશોદના નજીક ના ગામેથી સગીરાને લગ્નની લાલચ આપી પોતાના ઘરે લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સગીરાના પરિવારજનોએ કેશોદ પોલીસ સ્ટેશનમાં કેશોદ ખાતે રહેતાં શખ્સ વિરુદ્ધ નોંધાવતાં કેશોદ પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સપેકટર પી એ જા
સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર નરાધમ ને કેશોદ પોલીસે ઝડપી લીધો


જૂનાગઢ 30 મે (હિ.સ.) કેશોદના નજીક ના ગામેથી સગીરાને લગ્નની લાલચ આપી પોતાના ઘરે લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સગીરાના પરિવારજનોએ કેશોદ પોલીસ સ્ટેશનમાં કેશોદ ખાતે રહેતાં શખ્સ વિરુદ્ધ નોંધાવતાં કેશોદ પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સપેકટર પી એ જાદવ પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ કલ્યાણસિંહ ઝાલા અને રોહિતભાઈ મોહનભાઈ ભંભાણા એ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૮૭, ૧૩૭(૨), ૬૪(૨)(એમ), ૬૫(૧), એટ્રોસીટી એક્ટ કલમ ૩(૧)(ડબ્લ્યુ), ૩(૨)(૫), પોક્સો એક્ટ કલમ ૪, ૫(એલ), ૬, ૮, ૧૨ હેઠળ ગુનો નોંધી કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બી સી ઠકકર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. કેશોદ પોલીસે ગામની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર નરાધમ ને ઝડપી લેવામાં આવ્યો છે અને કેશોદ પોલીસ દ્વારા પુરાવાઓ એકઠાં કરવા ઉપરાંત તબીબી તપાસ હાથ ધરી નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર નરાધમ કેશોદ પોલીસ સ્ટેશનમાં અગાઉ પ્રોહીબીશન ના ગુનાઓ સહિત ગુનાઓમાં ઝડપાયેલ લિસ્ટેડ ગુનેગાર હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande