પ્રેમ સંબંધમાં આધેડની હત્યા, લાશ સળગાવી પતિથી બચવાનો પ્રયાસ,૫ દિવસના રિમાન્ડ મંજુર
પાટણ, 30 મે (હિ.સ.)જાખોત્રા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પરિણીત મહિલા ગીતા આહીર અને તેના પ્રેમી ભરત આહીરે મળી એક અધેડ વ્યક્તિની હત્યા કરી હતી. હત્યા પાછળનો ઉદ્દેશ પરિવાર તરફથી તેમને શોધખોળ કરવામાં ના આવે તે માટેનું ષડયંત્ર હતું. ગીતા
પ્રેમ સંબંધમાં આધેડની હત્યા, લાશ સળગાવી પતિથી બચવાનો પ્રયાસ,૫ દિવસના રિમાન્ડ મંજુર


પાટણ, 30 મે (હિ.સ.)જાખોત્રા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પરિણીત મહિલા ગીતા આહીર અને તેના પ્રેમી ભરત આહીરે મળી એક અધેડ વ્યક્તિની હત્યા કરી હતી. હત્યા પાછળનો ઉદ્દેશ પરિવાર તરફથી તેમને શોધખોળ કરવામાં ના આવે તે માટેનું ષડયંત્ર હતું.

ગીતા ચાર વર્ષ પહેલા પરણાઈ હતી અને તેના ત્રણ વર્ષનો પુત્ર છે. તેણીનો પોતાના પડોશી ભરત સાથે પ્રેમ સંબંધ હતો અને બંનેએ મળીને ભાગવાનું નક્કી કર્યું હતું. પરંતુ પરિવાર આ બંનેને શોધી ન કઢે તે માટે એક ભયાનક યોજના રચવામાં આવી.

હત્યાના ગુનામાં બંનેએ એક અધેડ વ્યક્તિને મારી, તેના શરીરે ગીતાના કપડા અને ઝાંઝરી પહેરાવી, પેટ્રોલ છાંટી લાશ સળગાવી દીધી હતી જેથી લાશ ઓળખી ન શકાય. પોલીસે અર્ધ સળગેલી લાશના આધારે તપાસ હાથ ધરી અને બંને આરોપીઓને ઝડપ્યા. તેમની સામે હત્યાની કલમો ઉપરાંત એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કેસની તપાસ એસસી/એસટી ડીવાયએસપી પરેશ રેણુકાને સોંપવામાં આવી છે અને રાધનપુર સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટે બંને આરોપીઓને ૩ જૂન સુધી ૫ દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande