ભારત વિકાસ પરિષદ, સિદ્ધહેમ શાખાનો વાર્ષિકોત્સવ-2025 ઉજવાયો
પાટણ, 31 મે (હિ.સ.)પાટણના શાકાર પાર્ટી પ્લોટ ખાતે ભારત વિકાસ પરિષદ (ભાવિપ) સિદ્ધહેમ શાખાનો વાર્ષિકોત્સવ-2025 ઉજવાયો હતો. સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણના સંકલ્પ સાથે કાર્યરત સંસ્થાએ વર્ષ 2023-24માં 80થી વધુ સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક પ્રો
ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખાનો વાર્ષિકોત્સવ-2025 ઉજવાયો


ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખાનો વાર્ષિકોત્સવ-2025 ઉજવાયો


પાટણ, 31 મે (હિ.સ.)પાટણના શાકાર પાર્ટી પ્લોટ ખાતે ભારત વિકાસ પરિષદ (ભાવિપ) સિદ્ધહેમ શાખાનો વાર્ષિકોત્સવ-2025 ઉજવાયો હતો. સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણના સંકલ્પ સાથે કાર્યરત સંસ્થાએ વર્ષ 2023-24માં 80થી વધુ સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક યોજી સંસ્થાની સેવાઓને વિસ્તૃત કરી હતી. વર્તમાન પ્રમુખ ભાર્ગવભાઈ ચોકસી અને તેમની ટીમના પ્રયાસોને આ અવસરે માન્યતા અપાઈ હતી. વિવિધ સેવાકાર્યોના સંયોજકોને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં USP Construction Coના ઉપેન્દ્રભાઈ પટેલ, સ્વદુર ડેવલોપર્સ-પાટણના મનીષભાઈ એસ. પટેલ અને ભાવિપ-ગુજરાત ઉત્તરના પ્રમુખ કમલભાઈ ચંદારાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમારંભમાં વર્ષ 2025-26 માટે નવી કારોબારીની રચના કરવામાં આવી, જેમાં દિનેશભાઈ બી. પ્રજાપતિને પ્રમુખ, નરેન્દ્ર ચૌહાણને મંત્રી અને ઘનશ્યામ ત્રિવેદીને ખજાનચી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અશ્વિનભાઈ જોષીએ નવી ટીમને શપથ ગ્રહણ કરાવ્યા હતા.

કિશોર મહેશ્વરી, જયેશ પટેલ અને હર્ષ પટેલ સહિતના મહાનુભાવોએ નવી ટીમનું કુમકુમ તિલકથી સ્વાગત કર્યું હતું. નવી કારોબારી સમર્પિત ભાવનાથી લોકોપયોગી પ્રોજેક્ટ્સને આગળ વધારી સંસ્થાનું ગૌરવ વધારશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande