જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને ઓપરેશન શીલ્ડ અંતર્ગતની મોકડ્રિલ સફળ બનાવવા બેઠક યોજાઈ
જૂનાગઢ 31 મે (હિ.સ.) જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને આજે ઓપરેશન શીલ્ડ અંતર્ગત જૂનાગઢ અને કેશોદ શહેરમાં યોજાનાર વગેરે સફળ બનાવવા માટે સાધુ સંતો, વેપારી એસોસિએશન, નિવૃત્ત સૈનિક એસોસિયેશન, સેવાકીય સંસ્થાઓ ઉપરાંત સંબંધિત સરકારી એજ
જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને ઓપરેશન શીલ્ડ અંતર્ગતની મોકડ્રિલ સફળ બનાવવા બેઠક યોજાઈ


જૂનાગઢ 31 મે (હિ.સ.) જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને આજે ઓપરેશન શીલ્ડ અંતર્ગત જૂનાગઢ અને કેશોદ શહેરમાં યોજાનાર વગેરે સફળ બનાવવા માટે સાધુ સંતો, વેપારી એસોસિએશન, નિવૃત્ત સૈનિક એસોસિયેશન, સેવાકીય સંસ્થાઓ ઉપરાંત સંબંધિત સરકારી એજન્સીઓના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

જિલ્લા કલેકટરએ, આ મોક ડ્રીલને સફળ બનાવવા માટે માર્ગદર્શન કરતા કહ્યું કે, આકસ્મિક હવાઈ હુમલાઓથી બચવા માટે નાગરિક સંરક્ષણ કવાયતના ભાગરૂપે મોકડ્રીલ યોજાશે. જેમાં હવાઈ હુમલાની પરિસ્થિતિ પેદા કરવામાં આવશે, તેમાંથી લોકોને સુરક્ષિત રીતે બહાર લાવવા માટે તંત્રની વિવિધ એજન્સીઓ દ્વારા રાહત બચાવની કામગીરી કરવામાં આવશે.

આ ઉપરાંત સાયરન વાગવાની સાથે રહેણાંક અને બિન રહેણાંક જગ્યા, રસ્તા ઉપર પણ વાહન ચાલકો પોતાનું વાહનની લાઈટ બંધ કરીને સુરક્ષિત રીતે રાખી દેવા, વ્યાપારિક એકમો પણ સંપૂર્ણ રીતે લાઈટ બંધ રાખે તે જરૂરી છે. આ માટે સંબંધિતોને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

જિલ્લા કલેકટર શ્રી એ કહ્યું કે, દેશની સરહદે પર સૈનિકો દેશની સીમાઓનું રક્ષણ કરી રહ્યા છીએ, ત્યારે બ્લેક આઉટમાં પોતાનો સહયોગ આપી અને અડધા કલાક માટે લાઈટ બંધ રાખી દેશ માટે એટલું તો કરી શકીએ.

ગિરનાર તીર્થ ક્ષેત્રના ઇન્દ્રભારતી બાપુએ પણ લોકોને બ્લેકઆઉટમાં જોડાવા માટે અનુરોધ કર્યો હતો. સાથે જ તેમણે ભવનાથ વિસ્તારના આશ્રમોમાં પણ સંપૂર્ણ રીતે બ્લેક આઉટ પાડવામાં આવશે, તેમ જણાવ્યું હતું. આમ, સાંજે ૮.૩૦ કલાકથી ૯ કલાક દરમિયાન સ્વયંભૂ બ્લેક આઉટ કરવા માટે અપીલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, બ્લેક આઉટ દરમિયાન ઇમરજન્સી સહિતની સેવાઓ ચાલુ રહેશે. જિલ્લા કલેકટર કચેરી ખાતે આયોજિત આ બેઠકમાં જગતગુરુ શ્રી મહેન્દ્રાનંદ ગીરીજી બાપુ, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેકટર પી.એ. જાડેજા, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, એનસીસી બટાલિયનના અધિકારી ડીવાયએસપી હિતેશ ધાંધલીયા, ઉપરાંત પીજીવીસીએલ, હેલ્થ, ફાયર, સહિતના જુદા જુદા વિભાગના અધિકારીઓ અને સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande