પોરબંદર, 31 મે (હિ.સ.) પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી બી.બી.ચૌધરીના માર્ગદર્શન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાની આગેવાની હેઠળ પોરબંદર જિલ્લામા તા.28 મે માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
રાજ્ય સરકાર દ્રારા તા.28 મે માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસ નિમિતે રાજ્યભરમાં સેટકોમના માધ્યમથી લોકોને સમજણ આપવામાં આવી હતી. તજજ્ઞોની ટીમ દ્રારા ટેલિવિઝનના માધ્યમથી માસિક ધર્મ વિશે ઉંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લામા ગ્રામ્ય વિસ્તારની બહેનો સહભાગી થવાની સાથો સાથ પર્સનલ હાઈજીન અને માસિક સ્ત્રાવ સમયે રાખવાથી થતી કાળજીઓ, મહિલાઓને નાના બાળકોને ગામોમાં સેનેટરી નેપકીન, ડાયપર તેમજ પુખ્તવયના ડાયપરનો યોગ્ય નિકાલ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya