ખંભાળા ડેમમા માછીમારી કરતા બે શખ્સો જેલ હવાલે.
ડેમમા માછીમારી કરતા બે શખ્સો જેલ હવાલે.
ખંભાળા ડેમમા માછીમારી કરતા બે શખ્સો જેલ હવાલે.


પોરબંદર, 31 મે (હિ.સ.) પોરબંદરના ખંભાળા ડેમમાં માછીમારી કરતા બે શખ્સોને વન વિભાગ દ્રારા ઝડપી લેવામા આવ્યા હતા તેમને રાણાવાવની

કોર્ટમાં રજુ કરવામા આવતા તેમને જેલ હવાલે કરવા હુકમ કરવામા આવ્યો છે પોરબંદર વન વિભાગના નાયબ વન સંરક્ષક અક્ષય જોષી તથા એસ.સી.એફ. રાજલબેન પાઠક ના સીધ્ધા માર્ગદર્શન હેઠળ રાણાવાવ રેન્જના આર.એફ.ઓ. મલય મણિયારની ટીમ દ્રારા તા.04/05/2025 ના રોજ પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકાના ખંભાળા ડેમમાં અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ કરી બોટ અને જાળ વડે માછલીનો શિકાર કરવાના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓ (1) રફાઇ અશરફશા ફિરોજશા રહે. રાણાવાવ ઉ.વ. 30 (2) શાહમદાર નાસીરશા નયુમશાહ રહે. રાણાવાવ ઉ.વ. 27 ને તા.31/05/2025ના રોજ મે. જયુડીશીયલ મેજીસ્ટ્રેસ્ટ ફસ્ટ કલાસ રાણાવાવની કોર્ટમાં રજુ કરવામાં આવેલ હતા. કોર્ટ દ્રારા બન્ને આરોપીઓના જામીન નામંજુર કરી પોરબંદર ખાસ જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande