ઝાડ કાપવાના ઝગડામાં માણસે જીવ ગુમાવ્યો: સુરતમાં ચપ્પાથી હત્યા, આરોપી ઝડપાયો
સુરત, 10 જૂન (હિ.સ.)-સચિન વિસ્તારમાં ઝાડ કાપવાની બાબતે થયેલા વિવાદે ભયાનક વળાંક લેતાં એક વ્યક્તિની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. પોલીસે માત્ર કેટલીક જ કલાકોમાં આરોપીને ઝડપી પાડીને સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ કર્યો છે. રાત્રે, તા. 8 જૂન 2025ના રોજ
murder


સુરત, 10 જૂન (હિ.સ.)-સચિન વિસ્તારમાં ઝાડ કાપવાની બાબતે થયેલા વિવાદે ભયાનક વળાંક લેતાં એક વ્યક્તિની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. પોલીસે માત્ર કેટલીક જ કલાકોમાં આરોપીને ઝડપી પાડીને સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ કર્યો છે.

રાત્રે, તા. 8 જૂન 2025ના રોજ સચિનના તળાવ ફળીયુ ભાથીજી વિસ્તારમાં રહેતા ૫૦ વર્ષીય જગદિશભાઈ બાલુભાઈ રાઠોડ (ઉર્ફે ગાંડીયા) અને તેમના મિત્ર સુરેશ ઉર્ફે લાલો હસમુખભાઈ રાઠોડ વચ્ચે ઝાડ કાપવાની બાબતે વિવાદ થયો હતો. દલીલો અંતે સુરેશે ગુસ્સામાં આવી ચપ્પાથી હુમલો કર્યો, જેમાં જગદિશભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમણે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.

હુમલાનાં બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સચિન પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક સુરાખી પરથી આરોપીને પકડ્યો હતો. પોલીસે ત્યારબાદ ઘટનાસ્થળે લઇ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું અને પુરાવાઓ એકત્ર કર્યા.

આ કેસમાં ઝડપ અને કાર્યવાહીથી પોલીસની કામગીરીને પ્રશંસા મળી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande