મોડાસા, 13 જૂન (હિ.સ.) અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં પ્લેનમાં સવારી કરી રહેલાં બાયડના એક મહિલાનું મોત નીપજ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
બાયડ નગરની મહિલા અમદાવાદથી લંડન પ્લેન મારફતે જવા માટે નીકળ્યાં હતાં.
ત્યારે અચાનક પ્લેન અમદાવાદની બિલ્ડિંગ ઉપર પ્લેન ક્રેશ થઈ જતાં અંદાજિત 200 થી વધારે લોકોના મોત નીપજ્યા હતાં જેમાં બાયડની ઘનશ્યામ સોસાયટીની મહિલા કૈલાશબેન પટેલનું મોત નીપજ્યું હતું.
મહિલાનું દુર્ઘટનામાં મોત નિપજતાં બાયડ તાલુકામાં શોકની લાગણી જોવા મળી હતી.
અમદવાદમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અમદાવાદમાં એક વિમાન તૂટી પડ્યું છે. અદાણી એરપોર્ટ ખાતે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયેલ છે તેવી પ્રાથમિક માહિતીના આધારે અમદાવાદ ફાયરની ટીમ
ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. શહેરના મેઘાણીનગરમાં IGP કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે.
મોડાસા તાલુકાના ખંભીસરના જયશ્રીબેન પટેલ જેઓના ત્રણ માસ અગાઉ જ લગ્ન થયા હતા જેઓ પોતાના પતિ પાસે લંડન પ્લેન મારફતે જઈ રહ્યા હતા જેઓ પણ આ પ્લેનમાં સવારી કરી રહ્યા હતા
મોડાસામાં રહેતા મહિલા નુસરતજહા એક મહિના અગાઉ લંડનથી પરત મોડાસા આવ્યા હતા જેઓ પણ આજના દિવસે વિમાન માર્ગે લંડન પરત જઈ રહ્યા હતા જે મહિલા પણ આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા ખંભીસર અને મોડાસાની મહિલાઓ જે આ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં મુસાફરી કરી વિદેશ જઈ રહ્યા હતા ત્યારે પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયાની જાણ થતાં તેઓના પરિવારો પણ ચિંતાગ્રસ્ત થઈ ગયા હતા
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ