મોડાસા, 13 જૂન (હિ.સ.) અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રહેતા નુસરતબાનુ જેથરાનું અમદાવાદ ખાતે થયેલા દુર્ભાગ્યપૂર્ણ પ્લેનક્રેશમાં દુઃખદ અવસાન થયું છે. આ ઘટનાથી સમગ્ર અરવલ્લી જિલ્લા અને તેમના પરિવારજનો શોકમાં ડૂબેલા છે.
અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નુસરતબાનુ જેથરાના પરિવારની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ પરિવારને સાંત્વના આપી અને આ દુઃખદ ઘટનામાં તેમની સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિવારને શક્ય તમામ સહાય અને સમર્થન પૂરું પાડવાની ખાતરી આપવામાં આવી છે.
અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર આ દુઃખદ ઘટનામાં નુસરતબાનુ જેથરાના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરે છે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી કામના કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ