અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નુસરતબાનુ જેથરાના પરિવારને સાંત્વના અરવલ્લીના મોડાસાના નુસરતબાનુ લંડન સ્થાઈ પતિ પાસે જઈ રહ્યા હતા
મોડાસા, 13 જૂન (હિ.સ.) અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રહેતા નુસરતબાનુ જેથરાનું અમદાવાદ ખાતે થયેલા દુર્ભાગ્યપૂર્ણ પ્લેનક્રેશમાં દુઃખદ અવસાન થયું છે. આ ઘટનાથી સમગ્ર અરવલ્લી જિલ્લા અને તેમના પરિવારજનો શોકમાં ડૂબેલા છે. અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વાર
Aravalli District Administration condoles the family of Nusrat Banu Jethara


મોડાસા, 13 જૂન (હિ.સ.) અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રહેતા નુસરતબાનુ જેથરાનું અમદાવાદ ખાતે થયેલા દુર્ભાગ્યપૂર્ણ પ્લેનક્રેશમાં દુઃખદ અવસાન થયું છે. આ ઘટનાથી સમગ્ર અરવલ્લી જિલ્લા અને તેમના પરિવારજનો શોકમાં ડૂબેલા છે.

અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નુસરતબાનુ જેથરાના પરિવારની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ પરિવારને સાંત્વના આપી અને આ દુઃખદ ઘટનામાં તેમની સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિવારને શક્ય તમામ સહાય અને સમર્થન પૂરું પાડવાની ખાતરી આપવામાં આવી છે.

અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર આ દુઃખદ ઘટનામાં નુસરતબાનુ જેથરાના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરે છે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી કામના કરે છે.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande