પોરબંદર, 13 જૂન (હિ.સ.) : પોરબંદર શહેરના નરસંગ ટેકરી વિસ્તારમાં આવતીકાલે ડીમોલીશનનું આયોજન કરવામાં આવ્યુ છે. પાણી નિકાલના અવરોધરૂપ ગેરકાયદેસર બાંધકામનો હટાવવામાં આવશે, ચોમાસ પુર્વે અંતે મનપા એક્શનમાં આવ્યુ છે.
પોરબંદર શહેરમાં ગત વર્ષે પડેલા ભારે વરસાદના લીધે પુર જેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી પાણી નિકાલના વિવિધ સ્થળો પર ગેરકાયદેસર અવરોધરૂપ બાંધકામના કારણે લોકો મુશ્કેલમાં મુકાયા હતા ગત વર્ષની જેમ આ વર્ષે ચોમાસમા ફરી પુર જેવી સ્થિતિ ઉભી ના થાય તે માટે તંત્રએ પ્રિ-મોન્સુનની કામગીરી દ્વારા કરવામાં આવી રહી છે, ગત વર્ષે પોરબંદરના રાજીવનગરની સ્થિતિ દયનીય બની ત્યારે આ વખતે રાજીવનગરના રહેવાસીઓ તંત્રને વારંવાર પાણી નિકાલ સ્થળોની સફાઈ અને ગેરકાયદેસર અવરોધરૂપ બાંધકામો દૂર કરવા છેલ્લા એક માસથી રજુઆતો કરી રહ્યાં છે. અને રસ્તા રોકો આંદોલનની ચીમકી આપી રહ્યા છે. ત્યારે હવે તંત્ર જાગ્યુ છે આવતીકાલ 14 તારીખના રોજ સવારે સાંઈબાબાના મંદિર પાછળ ગેરકાયદેસર પાણીને અવરોધરૂપ બાંધકામોને હટાવવાની કામગીરી કરવામાં આવશે તંત્ર આવતીકાલે બુલડોઝર એક્શન ચલવાશે અને પાણી નિકાલના સ્થળોની ચકાસણી કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya