ગીર સોમનાથ, 14 જૂન (હિ.સ.) કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં પ્રિ-ખરીફ કેમ્પેઇન અંતર્ગત વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો શુભારંભ ગીર સોમનાથ જિલ્લામાં તારીખ ૨૯ મે થી કરવામાં આવ્યો હતો એ અભિયાનના ચૌદમાં દિવસે ગીર ગઢડા તાલુકાના જામવાળા, થોરડી અને કોદિયા તથા વેરાવળ તાલુકાના ભેટાળી, કુકરાસ અને રામપરા એમ કુલ ૬ ગામોમાં કેવિકેના વૈજ્ઞાનિકઓ, આઈ.સી.એ.આર.ના વૈજ્ઞાનિકો, ખેતીવાડી, બાગાયત અને આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર, ડેપ્યુટી ડાયરેક્ટર તથા અન્ય અધિકારીઓ, એફ.પી.ઑ અને ઈફકો કંપનીના પ્રતિનિધિઓ દ્વારા આગામી ચોમાસું ઋતુ માટે ખાતર, બિયારણ અને દવાઓની તેમજ સરકારની વિવિધ યોજનાઓ, પ્રાકૃતિક ખેતી અને ડ્રોન ટેક્નોલોજીની માહિતી આપવામાં આવી હતી.આ અભિયાનમાં ખેડૂત ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ