પાટણમાં વૃદ્ધા હત્યા કેસમાં આરોપી યોગેશ મકવાણા જેલ હવાલે
પાટણ, 14 જૂન (હિ.સ.) : પાટણ શહેરના સંખારી રોડ સ્થિત વૃંદાવન બંગ્લોઝમાં રહેતી 68 વર્ષીય ગોદાવરીબેન પરમારની હત્યા કેસમાં આરોપી યોગેશકુમાર મકવાણાને જેલ હવાલે કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીને પાટણની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કર્યો હતો. તેની ધ
પાટણમાં વૃદ્ધા હત્યા કેસમાં આરોપી યોગેશ મકવાણા જેલ હવાલે


પાટણ, 14 જૂન (હિ.સ.) : પાટણ શહેરના સંખારી રોડ સ્થિત વૃંદાવન બંગ્લોઝમાં રહેતી 68 વર્ષીય ગોદાવરીબેન પરમારની હત્યા કેસમાં આરોપી યોગેશકુમાર મકવાણાને જેલ હવાલે કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીને પાટણની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કર્યો હતો. તેની ધરપકડ 10 જૂન, 2025ના રોજ કરવામાં આવી હતી અને તેને 13 જૂન સુધી રિમાન્ડ પર લેવાયો હતો.

પોલીસ તપાસ દરમિયાન યોગેશકુમાર પાસેથી હત્યામાં વપરાયેલો દુપટ્ટો કબજે કર્યો હતો અને ગોદાવરીબેન પાસેથી લૂંટાયેલા રૂ. 5.03 લાખના દાગીના પાટણના એક વ્યક્તિ પાસે ગીરવે મૂકેલા મળી આવ્યા હતા. પૂછપરછમાં ખુલ્યું હતું કે આરોપીએ નવું ઘર ખરીદ્યું હતું અને તેના પર નવ લાખનું દેવું હતું. આ દેવું ચૂકવવા માટે અને પરિવારના મામલામાં વૃદ્ધાના હસ્તક્ષેપને કારણે યોગેશે પોતાની ફોઈ સાસુની હત્યા કરી હતી.

પોલીસે રિમાન્ડ દરમિયાન યોગેશ પાસેથી હત્યાનો પ્લાન, ઘટનાસ્થળનું પુનઃનિર્માણ, મદદગારો અને ભાગવા માટે વપરાયેલ વાહનો અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં હત્યા સાથે લૂંટનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande