કુતિયાણામાં સામાન્ય બાબતે દરગાહમાં મારામારી
પોરબંદર, 13 જૂન (હિ.સ.) : કુતિયાણા નજીક બાવળાવદર ગામે સામાન્ય બાબતે 3 શખ્સો એ બે લોકોને દરગાહમાં મારમારતા યુવાને કુતિયાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. કુતિયાણા તાલુકાના બાવળાવદર ગામે કામુનશાપીરની દરગાહમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે. જેમાં
કુતિયાણામાં સામાન્ય બાબતે દરગાહમાં મારામારી


પોરબંદર, 13 જૂન (હિ.સ.) : કુતિયાણા નજીક બાવળાવદર ગામે સામાન્ય બાબતે 3 શખ્સો એ બે લોકોને દરગાહમાં મારમારતા યુવાને કુતિયાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.

કુતિયાણા તાલુકાના બાવળાવદર ગામે કામુનશાપીરની દરગાહમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે. જેમાં જામનગર ખાતે રહેતા પરવેજ બસીરભાઈ ખીરા નામનો યુવાન પોતાની બહેન મુસ્કાન તથા સોફિયા અને મામા ઇરફાનભાઈ સાથે બાવળાવદર ગામે કામુનશાપીર ની દરગાહ ખાતે હાજરી પુરવા (દર્શન કરવા) આવ્યા હતા તે દરમિયાન દરગાહમાં હાજરી પુરવા આવેલ અન્ય એક મહિલા દોડીને જતા રસ્તા પર ઉભેલા એક નાના બાળકને ધક્કો લાગતા પડી જતા સામાન્ય ઇજા પોહચી હતી. બાળકને ધક્કો મારી પછાડી દેવાની શકા રાખી દરગાહના મુંજાવર રફીકબાપુ, રફીકબાપુ માં દીકરો રફીક અને ઇકબાલે પરવેજ અને તેના મામા ઇરફાનને ઢીકા-પાડું અને લાકડી વડે માર માર્યો હતો. અને જાન થી મારી નખવાની ધમકી આપતા પરવેજ ખીરા એ 3 શખ્સો સામે કુતિયાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande