પોરબંદર, 13 જૂન (હિ.સ.) : ગુરૂવારે અમદાવાદથી લંડન જઈ રહેલી પ્લેન ટેકઓફ થયાની બે મીનીટમાંજ ક્રેશ થયુ હતુ કુલ 266 લોકોના મૃત્યુ થયા છે. જેને પગલે ગુજરાત સહિત દેશ સ્તબ્ધ બની ગયો છે. પ્લેશ ક્રેશની ઘટનામા પોરબંદરના પાંચ લોકો પણ કાળનો કોળીયો બની જતાં સમગ્ર પોરબંદર જીલ્લામા ભારે ગમગીની છવાઈ ગઈ હતી. પોરબંદર પંથકની વાત કરીએ તો પોરબંદર ખાતે રહેતા રક્ષાબેન કિશોરભાઈ મોઢા, યેશ કિશનભાઈ મોઢા અને બે વર્ષના રૂદ્ર કિશન મોઢાનુ આ દુર્ઘટનામા મોત થયુ છે.
રક્ષાબેન મોઢાના પતિને થોડો સમય પહેલમ નિધન થયુ હોય તેમની લંડન ખાતે પ્રાર્થનાસભાનુ આયોજન કર્યુ તેમા હાજરી આપવા માટે જતાં હતા. તે દરમ્યાન પ્લેન ક્રેશ થતાં પરિવારના ત્રણ લોકોના મૃતયુ થયા હોવાનુ જાણાવા મળી રહ્યુ છે. મુળ ખાંભોદરના હાલ ભાણવડ ખાતે રહેતા રિધ્ધિ હરિશભાઇળ ગોઢાણીયા અને બાળક ક્રિયાનનુ આ પ્લેન દુર્ધટનામા મોત થયા છે. આ બનાવને લઇ સમગ્ર પોરબંદર પંથકમા શોકનુ મોજુ ફરી વળ્યુ છે, મૃતકોને શ્રધ્ધાંજલી પાઠવામા આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya