ગીર સોમનાથ, 3 જૂન (હિ.સ.) ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ
આજે તા.૧૩-૦૬-૨૦૨૫ના રોજ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ પરિસરમાં અમદાવાદમાં થયેલ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ૦૨ મિનિટનું મૌન પાડવામાં આવ્યું. યુનિવર્સિટીના કુલપતિ પ્રો.સુકાંત કુમાર સેનાપતિ સહિત સમગ્ર યુનિવર્સિટી પરિવારે દુઃખની લાગણી વ્યક્ત કરી મૃતકોની સદ્ગતિ માટે સોમનાથ મહાદેવને હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ