પોરબંદર જિલ્લામાં તા.26 થી 28 જૂન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે
પોરબંદર, 13 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2025 અંતર્ગત આયોજન અંગે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, પોરબંદર ખાતે બેઠક મળી હતી. આગામી તા.26 થી 28 જૂન દરમિયાન પોરબં
પોરબંદર જિલ્લામાં તા.26 થી 28 જૂન  કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે.


પોરબંદર જિલ્લામાં તા.26 થી 28 જૂન  કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે.


પોરબંદર જિલ્લામાં તા.26 થી 28 જૂન  કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે.


પોરબંદર જિલ્લામાં તા.26 થી 28 જૂન  કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે.


પોરબંદર, 13 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2025 અંતર્ગત આયોજન અંગે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, પોરબંદર ખાતે બેઠક મળી હતી.

આગામી તા.26 થી 28 જૂન દરમિયાન પોરબંદર જિલ્લાના વિવિધ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવની કાર્યક્રમ કરવામાં આવશે. કલેકટરએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2025 અંતર્ગત જિલ્લાના શીર્ષ અધિકારીઓની શાળાઓમાં પ્રવેશોત્સવ માટે નિમણુંક કરવા અને વૃક્ષારોપણ સહિતનાં શાળાઓમાં પ્રવેશોત્સવનું સુચારૂ આયોજન

સુનિશ્ચિત કરવા અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – 2025 અંતર્ગત પોરબંદર જિલ્લામાં બાલવાટિકામાં આશરે 3,897, ધોરણ –1 માં આશરે 6,140 અને ધોરણ - 9 માં આશરે 3,260 નવા વિદ્યાર્થીઓના નામાંકન કરવામાં આવશે અને નવા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે પાત્ર તમામ બાળકોને આંગણવાડી, બાલવાટિકા, ધોરણ-1, 9 અને 11માં નામાંકન થાય તે માટે ટીમવર્કથી પ્રયાસો હાથ ધરવામાં આવશે. ખાસ કરીને એવી વસાહતો કે વિસ્તારો જ્યાં દીકરીઓનું નામાંકન ઘટતું હોય ત્યાં વધુ દિકરીઓનું નામાંકન થાય તે માટેની પણ સઘન કામગીરી હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે,ગાંધીનગરથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ –2025 ની બ્રીફિંગમાં ઓનલાઈન માધ્યમથી જિલ્લા કલેકટર સહિતના સબંધિત વિભાગના અધિકારીઓ જોડાઈને માર્ગદર્શન મેળવવું હતું.

આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા,જિલ્લા વિકાસ અધિકારી બી.બી ચૌધરી, નાયબ વન સંરક્ષક પ્રસાદ રવી રાધાકૃષ્ણા, ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંદિપભાઈ સોની, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ, બીઆરસીઓ સહિતનાં સબંધીત વિભાગનાં અધિકારીશઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande