પોરબંદર, 13 જૂન (હિ.સ.) : પોરબંદર ટ્રાફિક શાખા પી.એસ.આઈ. -કે. એન અઘેરા અને ટિમ દ્વારા પોરબંદર શહેરમાં આવેલ કર્લી પુલ રિવરફ્રન્ટ પાસે રોડ પર ટ્રાફિક અવરનેસ કરવામાં આવી હતી.
જેમાં વાહન અકસ્માત અટકાવવાનાના હેતુથી વાહન ચાલકોને વાહન રોન્ગ સાઈડમાં વાહન ન ચલાવવા, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા, વાહનની ગતિમર્યાદા બાબતે, સિટ બેલ્ટ બાંધવા, હેલ્મેટ પહેરવા બાબતે વિગતવાર માહિતી આપી તેમની સલામતી અને સુરક્ષા માટે આ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સમજણ આપી હતી તેમજ ગુડ સમરીટન યોજના (રાહવીર યોજના ) બાબતે વિગતવાર જરૂરી કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવેલ અને માર્ગ સુરક્ષાના સોનેરી નિયમોની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya