ચાણસ્મા-બેચરાજી ત્રણ રસ્તા પાસે ટ્રેઈલર ચાલકની દાદાગીરીથી ટ્રાફિક જામ
પાટણ, 13 જૂન (હિ.સ.) : ચાણસ્મા-બેચરાજી ત્રણ રસ્તા પાસે શુક્રવારે ટ્રેઈલર ચાલકની દાદાગીરીના કારણે ગંભીર ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રેઈલર ચાલકે રસ્તા વચ્ચે વાહન આડું પાર્ક કરી દીધું હતું. જયારે અન્ય વાહનચાલકોએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે અ
ચાણસ્મા-બેચરાજી ત્રણ રસ્તા પાસે ટ્રેઈલર ચાલકની દાદાગીરીથી ટ્રાફિક જામ


પાટણ, 13 જૂન (હિ.સ.) : ચાણસ્મા-બેચરાજી ત્રણ રસ્તા પાસે શુક્રવારે ટ્રેઈલર ચાલકની દાદાગીરીના કારણે ગંભીર ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રેઈલર ચાલકે રસ્તા વચ્ચે વાહન આડું પાર્ક કરી દીધું હતું. જયારે અન્ય વાહનચાલકોએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે અહંકારભેર દાદાગીરી જતાવી હતી.

હાલમાં ચાણસ્મા-પાટણ હાઈવે પર ઓવરબ્રિજનું બાંધકામ ચાલુ હોવાથી રસ્તો સાંકડો થયો છે. આ માર્ગ કચ્છ તરફ જવા માટે મહત્વનો હોવાથી અને બેચરાજી વિસ્તારમાં આવેલી ઓટોમોબાઈલ કંપનીઓને કારણે અહીં ભારે વાહનોની અવરજવર વધુ રહે છે.

ટ્રેઈલર ચાલકની અણઘડ હરકતને કારણે બંને બાજુ લગભગ એક કિલોમીટર લાંબી ટ્રાફિક લાઇન લાગી ગઈ હતી. વાહનચાલકોએ ચાણસ્મા પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રેઈલરને રસ્તાની એક બાજુ ખસેડી ટ્રાફિક હળવો કર્યો, જેને કારણે વાહનચાલકોને રાહત મળી હતી.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande