પોરબંદર, 14 જૂન (હિ.સ.)વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે ભાવસિંહજી હોસ્પિટલ એન્ડ બ્લડ બેંક દ્વારા જી.એમ.ઇ.આર. એસ મેડિકલ કોલેજ ધરમપુર ખાતે રક્તદાન કેમ્પના આયોજકોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ, રેડક્રોસ સોસાયટીના ચેરમેન અને નવરંગ સંસ્થાના પ્રમુખ લાખણશી ગોરાણીયાએ 43મી વખત કરેલ રક્તદાન તથા ભાવસિંહજી હોસ્પિટલને જ્યારે પણ બ્લડની જરૂરિયાત ઉભી થાય ત્યારે રક્તદાન કેમ્પોના આયોજનમાં સતત મદદરૂપ થવા બદલ તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.આ સન્માન સમારોહમાં લાખણશી ગોરાણીયાએ સન્માન બદલ આભારની લાગણી વ્યક્ત કરી ઉપસ્થિત સૌ કેમ્પ આયોજકો અને સંસ્થાઓના પ્રતિનિધિઓને ભાવસિંહજી હોસ્પિટલમાં વધુને વધુ રક્તદાન કેમ્પોના આયોજનો દ્વારા મદદરૂપ થવા સહિયારા પ્રયત્નો કરવા અપીલ કરી ડો. લિઝાબેન ધામેલીયા અને બ્લડ બેંકના સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya