પોરબંદર, 15 જૂન (હિ.સ.) : પોરબંદર સમસ્ત બાર ગામના વાણોટની આજે વરણી કરવામા આવી હતી. સતત પાંચમી વખત પવનભાઈ શિયાળને વાણોટ તરીકેની જવાબદારી સોંપવામા આવી છે. ખારવા સમાજના નવ ડાયરાના ચુંટાયેલા પંચ-પટેલો દ્રારા વાણોટની વરણી કરવામા આવે છે આજે ખારાવા સમાજની પરંપરા મુજબ નવનિયુકત વાણોટની તિલકવિધિ કરવામા આવી હતી સતત પાંચમી વખત વાણોટ તરીકે પવનભાઈ શિયાળ અને પ્રમુખ તરીકે અશ્વીનભાઇ જંગીની વરણી કરવામાં આવી હતી ખારવા પંચાયત મઢી ખાતે નવનિયુકત વાણોટ પવનભાઈ શિયાળની તિલકવિધિ કરવામાં આવી હતી.
વાણોટને ગુલાબી કલરનો સાફો પહેરાવામાં આવ્યો હતો, ત્યાર બાદ ભુદેવની ઉપસ્થિતિમા કુંવારિકાઓ દ્રારા પવનભાઇ શિયાળને લલાટે તિલકક કરવામા આવ્યુ હતુ ત્યારે બાદ પંચ-પટેલો અને ટ્રસ્ટી દ્રારા હાર પહેરાવી શુભેરછા પાઠવામાં આવી હતી ખારવા સમાજના આગેવાન રણછોડભાઈ શિયાળા તેમજ પૂર્વ વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ, સુનીલભાઈ ગોહેલ,સાગરપુત્ર સમન્વયના પ્રમુખ અને જાણીતા દાતા પ્રવિણભાઇ ખોરવા સહીતના આગેવાનો દ્રારા હારાતોરા કરી નવનિયુક વાણોટ પવનભાઈ શિયાળ અને ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુગીને હારતોરા કરવામાં આવ્યા હતા ત્યાર બાદ ખારવા સમાજના ઈષ્ટદેવ રામદેવજી મહાપ્રભુના મંદિર ખાતે દર્શન કરી આર્શાવાદ લીધા હતા તેમજ તેમજ ઢોલ-શરણાઈ સાથે ખારવાવાડ વિસ્તારમાં ફરતા લોકો દ્રારા પુષ્પોની વર્ષા કરવામા આવી હતી ખારવા સમાજના નવનિયુક વાણોટ પવનાભાઈ શિયાળાએ આ પ્રસંગે એવુ જણાવ્યુ હતુ કે ખારવા સામાજનો સર્વાગી વિકાસ થાય તે મારૂ ધ્યેય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya