પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવા યજ્ઞનું આયોજન
પોરબંદર, 15 જૂન (હિ.સ.) : અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોના આત્માની શાંતિ માટે પાયોનીયર કલબ,પાયોનીયર લેડીઝ વિંગ અને , રેડ ક્રોસ સોસાયટી તાલુકા શાખા દ્રારા આગામી તા.16 જુનને સોમવારે આર્ય સમાજ ખાતે સવારે 9:00થી 10:30 દરમ્યાન હવનનુ આયોજન કરવામાં આવ્યુ છે.
પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવા યજ્ઞનું આયોજન


પોરબંદર, 15 જૂન (હિ.સ.) : અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોના આત્માની શાંતિ માટે પાયોનીયર કલબ,પાયોનીયર લેડીઝ વિંગ અને , રેડ ક્રોસ સોસાયટી તાલુકા શાખા દ્રારા આગામી તા.16 જુનને સોમવારે આર્ય સમાજ ખાતે સવારે 9:00થી 10:30 દરમ્યાન હવનનુ આયોજન કરવામાં આવ્યુ છે.

પાયોનીયર કલબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા, પાયોનિયર ક્લબ લેડીસ વિંગના ચેરમેન ઉમાબેન ખોરાવા અને રેડ ક્રોસ સોસાયટી તાલુકા શાખાના પ્રમુખ રામદેભાઈ મોઢવાડીયાના જણાવ્યા અનુસાર અમદાવાદ ફ્લાઈટ ક્રેશ થઈ તેમા મૃત્યુ પામેલા આપણા સ્વજનો ની આત્માની શાંતિ માટે અને એમને શ્રદ્ધાંજલિ આપવા માટે શાંતિ હવનનું આયોજન કરેલ છે. તો દરેક પોરબંદર વાસીઓ આ મૃત્યુ પામેલા સ્વજનોની આત્માની શાંતિ માટે આ હવન મા આહુતિ આપવા ઉપસ્થિત રહે તેવો અનુરોધ કરવામા આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande