પાટણ, 14 જૂન (હિ.સ.) : સરસ્વતી તાલુકાના એક ગામમાંથી 17 વર્ષીય કિશોરી ગાયબ થતા ચોંકાવનારી ઘટના સામે આવી છે. કિશોરી 8 જૂનની રાત્રે ઘરના આંગણામાં સૂતી હતી, પરંતુ સવારે 5 વાગે ખાટલા પર દેખાઈ નહીં, ત્યારબાદ પરિવારે શોધખોળ શરૂ કરી હતી.
આ કિશોરી તેના સાવકા પિતા સાથે રહેતી હતી. માતાએ પહેલાના પતિ સાથે છૂટાછેડા લઈને સરસ્વતી તાલુકાના ગામમાં બીજાં લગ્ન કર્યા હતા અને અન્ય બે સંતાનો પણ ધરાવે છે. કિશોરીને તેના કાકીના ફોન પરથી કોઈક યુવક સાથે સગપણની વાતચીત કરતાં જોવામાં આવી હતી.
કિશોરીના પરિવારજનોએ આરોપ મૂક્યો છે કે ગામનો એક યુવક તેનો અપહરણ કરી ગયો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ યુવક પણ એ જ રાત્રે ઘરેથી ગુમ થયો છે. ઘટનાની જહેમતપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે અને અપહરણની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર