પાટણમાં વિશ્વ રક્તદાન દિવસે રક્તદાન શિબિરનું આયોજન
પાટણ, 14 જૂન (હિ.સ.) : દર વર્ષે 14 જૂને વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો હેતુ રક્તદાન વિશે જાગૃતિ ફેલાવવાનો અને લોકોમાં રહેલી ગેરસમજ દૂર કરવાનો છે. લોહીની અછતને કારણે અનેક લોકોનો જીવ જાય છે, જ્યારે ઘણા સ્વસ્થ લોકો ભયના કારણે રક્તદ
પાટણમાં વિશ્વ રક્તદાન દિવસે રક્તદાન શિબિરનું આયોજન


પાટણ, 14 જૂન (હિ.સ.) : દર વર્ષે 14 જૂને વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો હેતુ રક્તદાન વિશે જાગૃતિ ફેલાવવાનો અને લોકોમાં રહેલી ગેરસમજ દૂર કરવાનો છે. લોહીની અછતને કારણે અનેક લોકોનો જીવ જાય છે, જ્યારે ઘણા સ્વસ્થ લોકો ભયના કારણે રક્તદાન કરતા ટાળે છે. આ વર્ષે પાટણમાં રોટરી ક્લબ દ્વારા એસ.કે. બ્લડ બેંક ખાતે 'રક્ત પ્રયાસ – પાટણ' અંતર્ગત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

રોટરી ક્લબના સભ્યો તેમજ શહેરીજનો ઉત્સાહપૂર્વક રક્તદાન કરી રહ્યા છે. નૈતિક પટેલે જણાવ્યું હતું કે કેમ્પ માટે 70 બોટલ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે અને કેમ્પ સાંજ સુધી ચાલશે.

રક્તદાનને મહાદાન તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એક વ્યક્તિના રક્તદાનથી ત્રણ વ્યક્તિઓના જીવ બચી શકે છે. દરેક સ્વસ્થ વ્યક્તિએ સમયાંતરે રક્તદાન કરવું જોઈએ અને માનવતાના આ કાર્યમાં સહભાગી બનીને સમાજ માટે યોગદાન આપવું જોઈએ.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande