પોરબંદર જિલ્લામાં માપણી લાયસન્સ આપવામાં આવશે
પોરબંદર, 14 જૂન (હિ.સ.) : જમીન માપણી અંગેના લાયસન્સની જાહેરાત મહેસુલ વિભાગ, ગુજરાત સરકાર હસ્તકની સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકની કચેરી, ગુજરાત રાજય ગાંધીનગર દ્વારા રાજયની જિલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરીઓમાં ચાલતી ઓનલાઈન માપણીઓની કામગીરીનો વ
પોરબંદર જિલ્લામાં માપણી લાયસન્સ આપવામાં આવશે


પોરબંદર, 14 જૂન (હિ.સ.) : જમીન માપણી અંગેના લાયસન્સની જાહેરાત મહેસુલ વિભાગ, ગુજરાત સરકાર હસ્તકની સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકની કચેરી, ગુજરાત રાજય ગાંધીનગર દ્વારા રાજયની જિલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરીઓમાં ચાલતી ઓનલાઈન માપણીઓની કામગીરીનો વ્યાપ વધવા પામેલ હોવાથી આ કામગીરીને પહોંચી વળવા ખાનગી વ્યક્તિઓને માપણી લાયસન્સ આપવામાં આવશે.આ માપણી લાયસન્સ મેળવવાં માટે નિયત કરેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા અને માપણી લાયસન્સ મેળવવા ઈચ્છુંક ઉમેદવારો સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકની કચેરી, ગુજરાત રાજય ગાંધીનગ૨ની વેબસાઈટ https://landrecords .gujarat.gov.in પર આપેલ જમીન માપણી માટે લાયસન્સ સર્વેયર તરીકે ઓનલાઈન અરજી લીક મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.માપણી લાયસન્સ મેળવવાં માટે 18 થી ઓછી અને 50 વર્ષથી ન હોય (તા.01/03/2025 ની સ્થિતિએ) તે ઉમેદવારો ડિગ્રી સિવિલ એન્જીનિયર,ડિપ્લોમાં સિવિલ એન્જીનિયર, આઈ.ટી.આઈ.ની કોર્સ કરેલ સરવેયરો અને દીનદયાળ મોજણી અને મહેસુલી વહીવટ સંસ્થા, ગાંધીનગર દ્વારા ચલાવવામાં આવે ત્યારે તેનો કોર્સ કરેલ વ્યક્તિઓ અને ઉમેદવારો અરજી કરી શકશે અને અરજી કરનાર ઉમેદવારોને કોમ્પ્યુટરને લગતા સરવે વિષયક પ્રોગ્રામોથી જાણકાર હોવા જરૂરી છે.

માપણી લાયસન્સ મળ્યેથી હદ માપણી, હિસ્સા માપણીઓ, બીનખેતી માપણીના કેસો,રાજ્ય સરકાર અથવા સેટલમેન્ટ કમિશનર નક્કી કરે તે પ્રકારની બીજી માપણી લગત બીજી કામગીરી કરી શકશે. અને એક વખત અપાયેલ નોંધણી પ્રમાણપત્ર 2 (બે) વર્ષ સુધી અમલમાં રહેશે. ત્યાર પછી તેને ફરીથી રિન્યુ કરાવી શકાશે.

ઉલ્લેખનીય છે કે, નિયત લાયકાત ધરાવતાં અને

માપણી લાયસન્સ મેળવવા ઈચ્છુંક ઉમેદવારોએ (અગાઉ નોંધણી રદ કરવામાં આવેલ ન હોય) સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકની કચેરી, ગુજરાત રાજય ગાંધીનગ૨ની વેબસાઈટ https://landrecords .gujarat.gov.in પર આપેલ જમીન માપણી માટે લાયસન્સ સર્વેયર તરીકે ઓનલાઈન અરજી લીક મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે ઈચ્છુંક ઉમેદાવારો જિલ્લા નિરીક્ષક જમીન દફતર , પોરબંદર બ્લોક નં.308, જિલ્લા સેવા સદન 1, એરપોર્ટ સામે, પોરબંદરની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande