પોરબંદર, 14 જૂન (હિ.સ.) : પોરબંદરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા એક યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભારે ગમગીની છવાઈ ગઈ હતી, કુંભારવાડા વિસ્તારમાં રહેતા વિપુલ દિનેશભાઈ મકવાણા (ઉ.વ 40) નામના યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો યુવાને કયા કારણોથી આપઘાત કર્યો તે અંગેની કોઈ વિગત બહાર આવી નથી આ બનાવ અંગે કિર્તિમંદિર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya