પર્યાવરણ પ્રેમીઓ દ્વારા, વિમાન દુર્ઘટનાના મૃતકોને વૃક્ષારોપણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
ગાંધીનગર, 15 જૂન (હિ.સ.) : આજે નારાયણભાઈ પી. પટેલના વેસ્ટર્ન સીડ્ઝ ફાર્મ ખાતે અમદાવાદમાં થયેલા, વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ યાત્રીઓ અને હોસ્ટેલમાં રહેલા વિદ્યાર્થીઓને ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ અહિતક ઘટનાને સહન કરવ
પર્યાવરણ પ્રેમીઓ


પર્યાવરણ પ્રેમીઓ


પર્યાવરણ પ્રેમીઓ


પર્યાવરણ પ્રેમીઓ


પર્યાવરણ પ્રેમીઓ


ગાંધીનગર, 15 જૂન (હિ.સ.) : આજે નારાયણભાઈ પી. પટેલના વેસ્ટર્ન સીડ્ઝ ફાર્મ ખાતે અમદાવાદમાં થયેલા, વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ યાત્રીઓ અને હોસ્ટેલમાં રહેલા વિદ્યાર્થીઓને ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ અહિતક ઘટનાને સહન કરવાની શક્તિ આપે એવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે, સિનિયર સિટીઝન ગ્રુપના મિત્રોનો જન્મદિવસની ઉજવણી કરવાના હતા પરંતુ આ દુર્ઘટના ગુજરાતમાં બની જેના કારણે તેમણે આ કાર્યક્રમ રદ રાખ્યો હતો. ત્યારબાદ તેમણે ઉજવણી નહીં પરંતુ 200 કર્યા વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને, દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

આ નેચર ફર્સ્ટ ગ્રુપ દ્વારા અનેક વાર ખૂબ મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવે છે તેમજ વર્ષોથી પ્રકૃતિ માતાને બચાવવાના ઉદ્દેશ સાથે, પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવી રહ્યા છે. જેને ગાંધીનગરમાં ખૂબ બહોળા પ્રતિસાદ મળ્યો છે.

આ કાર્યક્રમમાં એન પી પટેલ, મહેન્દ્રભાઈ ત્રિવેદી, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, જીલુભા ધાંધલ, હર્ષાબા ધાંધલ, અનિલભાઈ પટેલ સહિતના ખૂબ મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande