સોમનાથના ચોપાટી દરિયામાંથી, એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
ગીર સોમનાથ 15 જૂન (હિ.સ.) પ્રભાસ પાટણ વિશ્વપ્રસિદ્ધ સોમનાથના ચોપાટી ના દરિયામાંથી આજે સવારે અજાણ્યા પુરુષનો એક તરતો મૃતદેહ મળી આવેલ છે. વિગત એમ છે કે સોમનાથના દરિયા કિનારે ચોપાટી ઉપર ઘોડે સવાર રાઈડઝ ચાલકો ધંધા અર્થે પોતાના નિત્ય ક્રમ મુજબ ગયા હતા તે
સોમનાથના ચોપાટી દરિયામાંથી, એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો


ગીર સોમનાથ 15 જૂન (હિ.સ.) પ્રભાસ પાટણ વિશ્વપ્રસિદ્ધ સોમનાથના ચોપાટી ના દરિયામાંથી આજે સવારે અજાણ્યા પુરુષનો એક તરતો મૃતદેહ મળી આવેલ છે.

વિગત એમ છે કે સોમનાથના દરિયા કિનારે ચોપાટી ઉપર ઘોડે સવાર રાઈડઝ ચાલકો ધંધા અર્થે પોતાના નિત્ય ક્રમ મુજબ ગયા હતા તેવામાં ચોપાટી ઉપર પર્યટકો ને અશ્વસવારી કરાવતા સતિષભાઈ રમેશભાઈ સોલંકી રહેવાસી મોટા કોળી વાળા પ્રભાસ પાટણને ધ્યાનમાં આવ્યું કે દરિયામાં એક માનવ લાશ તરે છે આથી તેને બીજા અન્ય અશ્વચાલકો હિરેન ગણેશ ગરેજા રાહુલ અશોક વાજા અકબર હનીફ સુમરા સૌએ તે લાશને દરિયા કાંઠે બહાર કાઢી પ્રાથમિક ઉપચાર કરી તુરત જ પ્રભાસ પાટણ પોલીસને જાણ કરવામાં આવેલ હતી અને તે લાશને પ્રભાસ પાટણ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવેલ હતું, પ્રાથમિક દ્રષ્ટિએ જેની ઉંમર આશરે ૪૦ થી ૪૫ વર્ષ છે આ અંગેની આગળની તપાસ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન એ.એસ.આઇ કે.બી.પરમાર ચલાવી રહ્યા છે આમ સોમનાથ ચોપાટી ઉપર ધંધો કરતા ઘોડે સવાર ચાલકોએ માનવતા ભર્યા આ કામમાં મદદ કરી સેવાનું કાર્ય બજાવેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande