હરિયાળું ભવિષ્ય: પાટણ પ્રજાપતિ સમાજનું વૃક્ષારોપણ અભિયાન
પાટણ, 15 જૂન (હિ.સ.)પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ શ્રી પદ્મનાભભગવાનની વાડી પરિસરમાં રવિવારે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. શ્રી પદ્મનાભ વાડી ટ્રસ્ટ પરિવાર અને સમાજના આગેવાનો તેમજ યુવાનોએ પરિસરને હરિયાળું બનાવવા ઉમદા ઉદ્દેશ સાથે આ કાર્યક્રમનું આયોજન
હરિયાળું ભવિષ્ય: પાટણ પ્રજાપતિ સમાજનું વૃક્ષારોપણ અભિયાન


પાટણ, 15 જૂન (હિ.સ.)પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ શ્રી પદ્મનાભભગવાનની વાડી પરિસરમાં રવિવારે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. શ્રી પદ્મનાભ વાડી ટ્રસ્ટ પરિવાર અને સમાજના આગેવાનો તેમજ યુવાનોએ પરિસરને હરિયાળું બનાવવા ઉમદા ઉદ્દેશ સાથે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. વૃક્ષોની સુરક્ષા માટે લોખંડના પાંજરા સ્થાપિત કરવામાં આવ્યા હતા અને હાજર રહેલા સહભાગીઓએ વૃક્ષોની સંભાળ અને જતન કરવાનો સંકલ્પ કર્યો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવામાં વાડી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સમાજના આગેવાનો શાંતિભાઈ, કમલેશભાઈ, ખન્નાભાઈ, યશપાલભાઈ, વિજયભાઈ, મહેશભાઈ, મુકેશભાઈ અને કનુભાઈનું વિશેષ યોગદાન રહ્યું હતું. તેઓના સહિયારા પ્રયાસોથી આ હરિયાળું આયોજન સફળતાપૂર્વક પાર પડ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande