જૂનાગઢ 15 જૂન (હિ.સ.) કેશોદ ખાતે હિન્દૂ યુવા સંગઠન અને કેશોદના તમામ NGO, વિશ્વ હિન્દૂ પરિષદ, ભારત વિકાશ પરિષદ, બળદ આશ્રમ,LNC ગ્રુપ જેવા તમામ ગ્રુપના સભ્યો હાજર રહ્યા હતા.
અષાઢી બીજ ની ભવ્યાતિ ભવ્ય શોભા યાત્રા નીકળે તે માટે, સૌ લોકોને અપીલ કરાઈ હતી અને આગલા દિવસે કેશોદના DP રોડ પર ગણેશ ગ્રુપ દ્વારા ભગવાન જગન્નાથના મામેરા ભરાસે અને મામા ને ત્યાં રાત્રી રોકાણ પણ કરશે એ અનુસંધાને રાત્રે DP રોડ પર ધૂન પણ રાખવામાં આવેલ છે અને બીજા દિવસે હિન્દૂ યુવા સંગઠન કાર્યલય થી કેશોદના મુખ્ય રાજ માર્ગો પર ભગવાન જગન્નાથજી નગર ચર્ચા માટે નીકળશે જેમાં મુખ્ય રાજ માર્ગો પર બેનર લગાવવામાં આવશે, તેમજ આરતી માટે હિન્દૂ યુવા સંગઠનનો સંપર્ક કરવા જણાવયુ હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ