શ્રીનગર, નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.) આગામી અમરનાથ યાત્રા માટે
સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, જમ્મુ અને કાશ્મીર સરકારે સમગ્ર યાત્રા રૂટને નો-ફ્લાઈંગ
ઝોન જાહેર કર્યો છે.
કેન્દ્રશાસિત પ્રદેશના ગૃહ વિભાગે, અમરનાથ યાત્રાના તમામ
રૂટને નો-ફ્લાઈંગ ઝોન જાહેર કર્યા છે. જેમાં પહેલગામ અને બાલટાલ, બંને રૂટનો
સમાવેશ થાય છે. આ પ્રતિબંધ યુએવી, ડ્રોન અને ફુગ્ગાઓ સહિત તમામ પ્રકારના હવાઈ ઉપકરણો પર લાગુ
પડે છે. સુરક્ષા સૂચનાઓ 1 જુલાઈથી 1૦ ઓગસ્ટ સુધી અમલમાં રહેશે. કેન્દ્રીય ગૃહ
મંત્રાલયે આમ કરવાની સલાહ આપ્યા બાદ, આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પ્રતિબંધ
સુરક્ષા દળો દ્વારા હાથ ધરવામાં આવતા તબીબી સ્થળાંતર, આપત્તિ
વ્યવસ્થાપન અથવા દેખરેખ કામગીરીના કેસોમાં લાગુ પડશે નહીં. આવા અપવાદો માટે
વિગતવાર માનક સંચાલન પ્રક્રિયાઓ (એસઓપી) પછીથી જારી કરવામાં આવશે. વાર્ષિક અમરનાથ યાત્રા ૩ જુલાઈથી
શરૂ થશે અને 9 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. પહેલગામ હુમલાને ધ્યાનમાં રાખીને, યાત્રાના સરળ અને
શાંતિપૂર્ણ સંચાલન માટે વધારાના સુરક્ષા પગલાં લેવામાં આવી રહ્યા છે.
યાત્રા માટે કેન્દ્રીય સશસ્ત્ર અર્ધલશ્કરી દળો (સીએપીએફ) ની 580 કંપનીઓ તૈનાત
કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ