કોલસા મંત્રાલયે અત્યાર સુધીમાં કુલ 200 કોલ બ્લોક ફાળવ્યા છે
-સિંઘલ બિઝનેસ પ્રાઇવેટ લિમિટેડને, મરવાટોલા-II બ્લોક આપવામાં આવ્યો નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.) કોલસા મંત્રાલયે મંગળવારે જાહેરાત કરી કે,” તેણે અત્યાર સુધીમાં કુલ 200 કોલ બ્લોક ફાળવ્યા છે, જે ભારતના કોલસા ક્ષેત્રમા
કોલસા


-સિંઘલ બિઝનેસ

પ્રાઇવેટ લિમિટેડને, મરવાટોલા-II બ્લોક આપવામાં આવ્યો

નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.) કોલસા મંત્રાલયે મંગળવારે જાહેરાત કરી કે,”

તેણે અત્યાર સુધીમાં કુલ 200 કોલ બ્લોક

ફાળવ્યા છે, જે ભારતના કોલસા

ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા અને રાષ્ટ્રીય ઉર્જા સ્વ-નિર્ભરતાને પ્રોત્સાહન આપવાના

ચાલુ પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલું છે. મરવાટોલા-II કોલ બ્લોક માટે ઐતિહાસિક ફાળવણીનો આદેશ સિંઘલ

બિઝનેસ પ્રાઇવેટ લિમિટેડને જારી કરવામાં આવ્યો છે.”

કોલસા મંત્રાલયના જણાવ્યા અનુસાર, “મધ્યપ્રદેશમાં

સિંઘલ બિઝનેસ પ્રાઇવેટ લિમિટેડને મરવાટોલા-II કોલ બ્લોક, ફાળવવાથી સરકારની ક્ષેત્રીય સુધારાઓ, ખાનગી ભાગીદારીને

પ્રોત્સાહન આપવા અને કોલસા ઉત્પાદનમાં રાષ્ટ્રીય સ્વ-નિર્ભરતાને મજબૂત બનાવવા

માટેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર થાય છે.”

છેલ્લા કેટલાક વર્ષોમાં, મંત્રાલયે વાણિજ્યિક કોલસા ખાણકામના આગમન અને સિંગલ-વિન્ડો

ક્લિયરન્સ સિસ્ટમની રજૂઆતથી લઈને ડિજિટલ મોનિટરિંગ અને ગવર્નન્સ ટૂલ્સ અપનાવવા

સુધીના અનેક પરિવર્તનશીલ સુધારાઓ હાથ ધર્યા છે. આ પગલાંએ કોલસા ક્ષેત્રના

કાર્યકારી લેન્ડસ્કેપને સામૂહિક રીતે ફરીથી વ્યાખ્યાયિત કર્યો છે. તેણે ખાનગી

ઉદ્યોગો માટે નવી તકો ખોલી છે અને સંસાધન વિકાસ માટે વધુ પારદર્શક, જવાબદાર અને

ભવિષ્ય માટે તૈયાર માળખું સુનિશ્ચિત કર્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande