જાતિગત વસ્તી ગણતરી કરવાનો અધિકાર, ફક્ત કેન્દ્રને છે: ભાજપ
નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી કહે છે કે,” રાજ્ય સરકારો જાતિગત વસ્તી ગણતરી કરી શકતી નથી, તેઓ ફક્ત સર્વે કરી શકે છે. કોંગ્રેસ જનતાને ગેરમાર્ગે દોરી રહી છે.જ્યારે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે સામાજિક, આર્
બીજેપી


નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી કહે છે કે,” રાજ્ય

સરકારો જાતિગત વસ્તી ગણતરી કરી શકતી નથી, તેઓ ફક્ત સર્વે કરી શકે છે. કોંગ્રેસ જનતાને ગેરમાર્ગે દોરી

રહી છે.જ્યારે કેન્દ્ર

સરકારે સ્પષ્ટ કર્યું છે કે સામાજિક, આર્થિક અને જાતિગત વસ્તી ગણતરી કેન્દ્રીય સ્તરે કરવામાં

આવશે.”

દિલ્હીમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં રાજ્યસભાના સભ્ય અને

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ, આજે ​​આ મુદ્દે કોંગ્રેસ પર નિશાન

સાધ્યું. તેમણે કોંગ્રેસ પર વારંવાર તથ્યોને વિકૃત રીતે રજૂ કરવાનો આરોપ લગાવ્યો.

ત્રિવેદીએ કહ્યું કે,” વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર

જનતા સાથે સંબંધિત સામાજિક,

આર્થિક અને

જાતિગત માહિતી એકત્રિત કરશે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આવું પહેલીવાર થશે.”

તેમણે કહ્યું કે,” કોંગ્રેસ તેલંગાણામાં થઈ રહેલા સર્વેને

વસ્તી ગણતરી કહીને જનતાને ગેરમાર્ગે દોરી રહી છે. સત્ય એ છે કે રાજ્યો ફક્ત સર્વે

કરી શકે છે, કેન્દ્ર સરકારને

વસ્તી ગણતરી કરવાનો અધિકાર છે.” તેમણે પૂછ્યું કે,” તેલંગાણાની કોંગ્રેસ સરકારમાં

કેટલા ઓબીસી મંત્રીઓ છે. તે જ સમયે, આજે દેશમાં સૌથી વધુ ઓબીસીમંત્રીઓ કેન્દ્ર

સરકારમાં છે.”

ત્રિવેદીએ કોંગ્રેસ પર ભાઈ-ભત્રીજાવાદ અને માત્ર સત્તાનું

રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે,” ભાજપ અને એનડીએનો વિચાર છે - 'સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ'. કોંગ્રેસ અને

ઈન્ડી ગઠબંધનનો ઉદ્દેશ્ય ફક્ત જાતિઓમાં વિભાજન બનાવવાનો છે.”

ઉલ્લેખનીય છે કે, ભારતમાં છેલ્લી જાતિ વસ્તી ગણતરી 1931 માં

બ્રિટિશ શાસન દરમિયાન કરવામાં આવી હતી. સ્વતંત્ર ભારતમાં, 1951 પછી જાતિનો

ડેટા લેવામાં આવ્યો ન હતો. 2011 માં, સામાજિક-આર્થિક અને જાતિ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું

પરંતુ તેને ઔપચારિક વસ્તી ગણતરી તરીકે માન્યતા આપવામાં આવી ન હતી. ગઈકાલે કેન્દ્ર

સરકારે જાતિ ગણતરી સાથે વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande