બોમ્બ ધમકી બાદ ઇન્ડિગો ફ્લાઇટનું નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, બધા મુસાફરો સુરક્ષિત
નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.) કોચીથી દિલ્હી આવી રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ 6ઈ-2706 ને, મંગળવારે સવારે ફ્લાઇટ દરમિયાન બોમ્બ ધમકીનો સંદેશ મળ્યો. આ પછી, નાગપુરના ડૉ. બાબાસાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. આ વિમાનન
ઇન્ડિગોનું ઈમરજન્સી લેન્ડીંગ


નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.) કોચીથી દિલ્હી આવી રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ 6ઈ-2706 ને, મંગળવારે સવારે ફ્લાઇટ દરમિયાન બોમ્બ ધમકીનો સંદેશ મળ્યો. આ પછી, નાગપુરના ડૉ. બાબાસાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. આ વિમાનના તમામ મુસાફરો સુરક્ષિત છે.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ નંબર 6ઈ 2706 સવારે 9.20 વાગ્યે કેરળના કોચી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી દિલ્હી માટે રવાના થઈ હતી. તે દરમિયાન, તેને બોમ્બ ધમકી મળી હતી, ત્યારબાદ તેને નાગપુર એરપોર્ટ તરફ વાળવામાં આવી હતી. આ પછી, વિમાનને ડૉ. બાબાસાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડ કરવું પડ્યું. ઇમરજન્સી લેન્ડિંગ પછી, બધા મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. વિમાનને નિરીક્ષણ માટે અલગ જગ્યાએ લઈ જવામાં આવ્યું હતું.

સુરક્ષા પ્રોટોકોલ મુજબ, બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વોડ (બીડીડીએસ) તાત્કાલિક એરપોર્ટ પર પહોંચી ગઈ. આ પછી, વિમાનની સંપૂર્ણ તપાસ શરૂ કરવામાં આવી હતી. એરપોર્ટ અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે, વિમાનમાં અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડ વિમાનની તપાસ માટે એરપોર્ટ પર છે. એરલાઇન અને એરપોર્ટ અધિકારીઓએ કહ્યું છે કે, હાલમાં વધુ તપાસ ચાલી રહી છે. સુરક્ષા એજન્સીઓ તરફથી વધુ અપડેટ્સની રાહ જોવાઈ રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande