ગીર સોમનાથ, 17 જૂન (હિ.સ.) વેરાવળ ખાતે તારીખ ૧૬/૦૬/૨૦૨૫ ના રોજ રાત્રે વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના ભાઈઓ-બહેનો દર વર્ષ ની જેમ આ વર્ષે પણ વેરાવળ થી દ્વારકાધીશ નાં મંદિર સુધી પગપાળા ચાલીને યાત્રા કરી અને ભગવાન દ્વારકાધીશ ના દર્શને ૧૦૦ જેટલા ભાઈઓ બહેનો જય રહ્યા છે તેને લીલી જંડી આપી ને પગપાળા યાત્રા નું પ્રયાણ કરાવતા વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ જીતુભાઇ મોહનભાઇ કુહાડા પ્રસંગે વેરાવળ ખારવા સમાજના ઉપ પટેલ બાબુભાઈ આગિયા, ખારવા સમાજ મંત્રી નારણભાઈ વેરાવળ બોટ એસોસિયન ના ઉપપ્રમુખ બાલાભાઈ કોટીયા, ખારવા સમાજ આગેવાનો બોટ એસોસિએશન તથા હોળી એસોસિએશનના આગેવાનો, તેમજ વેરાવળ મચ્છી માર્કેટ ના નાથી માં, માનબાઈ બેન, સહિતના અન્ય ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ