પોંડીચેરી, નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.). ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે મંગળવારે કહ્યું કે, ભારત વિશ્વનો મહત્વાકાંક્ષી રાષ્ટ્ર છે અને તે ભાષાના મુદ્દા પર વિભાજન સહન કરી શકે નહીં.
ઉપરાષ્ટ્રપતિ પોંડિચેરી યુનિવર્સિટીમાં બોલી રહ્યા હતા. કોઈનું નામ લીધા વિના, તેમણે એ હકીકત પર દુઃખ વ્યક્ત કર્યું કે, ભાષાઓનો વિરોધ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, છેલ્લા દાયકામાં અભૂતપૂર્વ વિકાસના પરિણામે ભારત વિશ્વનો સૌથી મહત્વાકાંક્ષી રાષ્ટ્ર છે, આપણે ભાષાઓ પર કેવી રીતે વિભાજીત થઈ શકીએ. ભાષાની દ્રષ્ટિએ વિશ્વનો કોઈ દેશ ભારત જેટલો સમૃદ્ધ નથી. સંસ્કૃતનું વૈશ્વિક મહત્વ છે અને તેની સાથે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઓડિયા, મરાઠી, પાલી, પ્રાકૃત, બંગાળી અને આસામી સહિત 11 શાસ્ત્રીય ભાષાઓ છે. તેમણે કહ્યું કે, સભ્યોને સંસદમાં 22 ભાષાઓમાં ચર્ચા કરવાની છૂટ છે. આપણી ભાષાઓ સમાવેશકતા દર્શાવે છે. સનાતન એક મહાન હેતુ માટે એક થવાનું શીખવે છે.
હિન્દુસ્થાન સમાચાર / ડો. વરા પ્રસાદ રાવ પીવી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ