ગીર સોમનાથ 18 જૂન (હિ.સ.) જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાંજડીયા તથા પોલીસ અઘિક્ષક મનોહરસિંહ જાડેજા ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક વિ.આર.ખેંગાર વેરાવળ વિભાગ વેરાવળનાઓએ બળાત્કાર તથા પોસ્કો એકટ જેવા ગંભીર પ્રકારના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા જિલ્લા પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જે અનુસંધાને તાલાલા પોલીસ સ્ટેશન ગુ.૨.ન-૧૧૧૮૬૦૦૭૨૫૦૫૩૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૮૭, ૧૩૭(૧)(બી),૧૩૭(૨), ૬૪(૧),૬૪(૨)(એમ) પોકસો એકટ કલમ ૪,૬,૧૮ મુજબનો ગુન્હો ગઇ તા.૧૭/૦૪/૨૦૨૫ ના ક.૨૦/૫૫ વાગ્યે રજી થયેલ હોય અને આ ગુન્હાના કામના આરોપી ગુન્હાના કામે પોલીસ પકડથી બચવા માટે નાસ્તો ફરતો હોય જેથી ગુન્હાના કામના આરોપીને પકડવા સારૂ તાલાલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ગઢવી નાઓની સુચના મુજબ તેમજ માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફ ઇન્ચાર્જ પો.હેડ.કોન્સ ડી.બી.ગાધે તથા એ.એસ.આઇ રણજીતસિંહ પરબતસિંહ ડોડીયા તથા એ.એસ.આઇ પ્રતિપાલસિહ ગીગાભાઈ કાગડા તથા પો.હેડ.કોન્સ. ગોવિદભાઇ પરબતભાઇ મારૂ તથા પો.હેડ.કોન્સ હરેશભાઇ પીઠાભાઇ ભેડા એ રીતેના પો.સ્ટાફના માણસોએ ગુન્હાની ગંભીરતા લઇ આરોપીને રાજકોટ શહેર ખાતેથી પકડી લઇ આરોપી વિરૂધ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ