ગીર સોમનાથ 18 જૂન (હિ.સ.) જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાંજડીયા તથા પોલીસ અઘિક્ષક મનોહરસિંહ જાડેજા સાહેબ ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક વિ.આર.ખેંગાર વેરાવળ વિભાગ વેરાવળનાઓએ પ્રોહીબિશન ગુન્હાઓ તથા તેમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા જિલ્લા પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જે અનુસંધાને, તાલાલા પોલીસ સ્ટેશન ગુ.ર.ન ૧૧૧૮૬૦૦૭૨૪૧૨૩૫/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫-ઇ.૮૧ મુજબ તથા તાલાલા પોલીસ સ્ટેશન ગુ.ર.ન ૧૧૧૮૬૦૦૭૨૪૧૨૩૬/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫-ઇ,૮૧ તથા તાલાલા પોલીસ સ્ટેશન ગુ.ર.ન ૧૧૧૮૬૦૦૭૨૪૧૨૯૨/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫-એ.એ,૮૧ મુજબના આ ગુન્હાના કામના આરોપી ગુન્હાના કામે પોલીસ પકડથી બચવા માટે નાસ્તો ફરતો હોય જે અનુસંધાને તાલાલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ગઢવી નાઓની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ ટાઉન બીટ ઇન્ચાર્જ પો.હેડ.કોન્સ આર.વી.પરમાર તથા પો.કોન્સ. રજનીભાઇ દેદાભાઇ મોરી તથા પો.કોન્સ નિર્મળસિહ હરસુરસિહ સિસોદીયા તથા પો.કોન્સ અનીલભાઇ દાનાભાઇ સાંખટ એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ ગુન્હાની ગંભીરતા લઇ આ ગુન્હાના કામે નાસતો ફરતો નીચે જણાવેલ આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડેલ નાસતો ફરતો આરોપી
મીહીરભાઇ વિનોદરાય ઉ.વ.૩૭ ધંધો.વેપાર રહે.જુનાગઢ મો.નં-૯૭૨૭૮ ૦૩૬૫૯
આ કામગીરી કરનાર અધિ/કર્મચારીઓ
તાલાલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ગઢવી તથા પો.હેડ.કોન્સ આર.વી.પરમાર તથા પો.કોન્સ. રજનીભાઇ દેદાભાઇ મોરી તથા પો.કોન્સ નિર્મળસિહ હરસુરસિહ સિસોદીયા તથા પો.કોન્સ અનીલભાઇ દાનાભાઇ સાંખટ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ