-સુરતના ખ્યાતનામ તબીબોએ આદિવાસી વિસ્તારમાં એક દિવસનું શ્રમદાન કર્યું
-તબીબોએ 121 જેટલા દર્દીને તપાસી તેમને જરૂરી દવા નિઃશુલ્ક આપી હતી
-ઇન્ડિયા હેલ્થ લાઈન 365 દિવસ રોજ એક તબીબ દ્વારા રોજ એક દર્દીને વિના મૂલ્યે ચેકઅપ કરે છે
ભરૂચ 18 જૂન (હિ.સ.) આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના આરોગ્ય સેવા આયામ ઈન્ડિયા હેલ્થ લાઈન દ્વારા નેત્રંગના મોદલીયા ગામ ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું. કેમ્પમાં સુરતના ખ્યાતનામ તબીબોએ 121 જેટલા દર્દીને તપાસી તેમને જરૂરી દવા નિઃશુલ્ક આપી લાભ આપ્યો હતો. કેમ્પમા પ્રગ્નેશ પરમાર તેમજ સ્થાનિક ટીમ દ્વારા સફળ આયોજન કર્યું હતું. કેમ્પમાં વિશેષ સૌ પ્રથમવાર સુપર સ્પેશિયલિસ્ટ ડૉ. પ્રતીક સાવજ , ડૉ. ઈશાન શેઠ, ડૉ નિલેશ ટાંક, ડૉ રાહુલ ગેલાની, ડૉ. પંકજ દેવાણી, ડૉ. રીના સાવજ, ડૉ ધારા ગોંડલીયા, ડૉ. રાહુલ સુતરીયા, IHL કેન્દ્રીય મંત્રી ડૉ. પુર્વેશ ઢાકેચા વિગેરેએ સેવા આપી હતી.ડૉ .પ્રવીણ તોગડિયાજીના સંગઠન ઇન્ડિયા હેલ્થ લાઈન દ્વારા કેમ્પ સાથે 365 દિવસ રોજ એક ડોક્ટર દ્વારા રોજ એક દર્દીને વિના મૂલ્યે ચેકઅપ કરવામાં આવે છે આ સેવાની પણ માહિતી લોકોને પૂરી પાડી હતી.
ઇન્ડિયા હેલ્થ લાઈન દ્વારા જોડાયેલા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર રોજ એક દર્દીને વિના મુલ્યે તપાસ કરવી, માર્ગદર્શન આપવું તેમજ શ્રી હનુમાન ચાલીસા કેન્દ્રમાં કેમ્પ કરવામાં આવે છે. આહિન્દુ હેલ્પલાઇન દ્વારા દેશભરમાં કોઈપણ જગ્યાએ ભારતમાં વ્યવસ્થા માટેની માર્ગદર્શન તેમજ આપાતકાળમાં વ્યવસ્થા ,એક્સિડન્ટની પરિસ્થિતિમાં મદદ, લીગલ માર્ગદર્શન ગવર્મેન્ટ તેમજ ઈમરજન્સીમાં રક્તની જરૂરિયાત હિન્દુ હેલ્પલાઇનની મદદથી માત્ર ફોન નંબર અથવા hinduhelpline.in વેબસાઈટ તેમજ એપ્લિકેશનની મદદથી તત્કાલ સહાયની વ્યવસ્થા કરવામાં આવે છે.હિન્દુ એડવોકેટ ફોરમ દ્વારા જોડાયેલા એડવોકેટ હિન્દુઓને નિઃશુલ્ક માર્ગદર્શન પૂરું પાડે છે.
એક મુઠ્ઠી અનાજ દ્વારા દરેક વ્યક્તિ રોજ એક મુઠ્ઠી અનાજ અનાજની આપેલી બેગમાં ભરે છે તેમજ મહિનામાં એકવાર આ અનાજ એકત્ર કરીને કોઈપણ હિન્દુ ભૂખ્યો ન રહે તેના માટે આ અનાજ વિતરણ કરાય છે. તેમજ એક મુઠ્ઠી અનાજ દ્વારા દેશભરમાં ઘણી જગ્યાએ અન્નક્ષેત્રો પણ ચાલી રહ્યા છે.
નેત્રંગ તાલુકાના મોદલીયા ગામે નિઃશુલ્ક મેડિકર નિદાન અને સારવાર કેમ્પમાં IHL પદાધિકારી રવિન કરિયાવરા, જગદીશ પટેલ, ભાર્ગવ કાથરોટીયા નીલેશ મિયાણી, દિનેશ માંગુકિયા, નવદીપ હીરપરા, શૈલેષ સોરઠીયા, મિતેશ લશ્કરી, દીપ ઢાકેચા, તરુણ ગોરસિયા, જય પીઠવા, રણજીત કંથરીયા સામાજિક અગ્રણી અતુલ પટેલ, વિઠ્ઠલ ઢાંકેચા સહિત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ