નાનપુરાના આધેડને તેના મિત્રએ 3 લાખનો ચુનો ચોપડ્યો
સુરત, 19 જૂન (હિ.સ.)- નાનપુરા વિસ્તારમાં રહેતા આધેડ પાસેથી તેના મિત્રઍ ધંધા માટે હાથ ઉછીના ત્રણ લાખ પરત નહી આપી છેતરપિંડી કરતા મામલો પોલીસમાં પહોચ્યો છે. અઠવા પોલીસના જણાવ્યા મુજબ નાનપુરા અથુગર મહોલ્લો, રાજેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા અનેનિવુત જીવન ગુ
નાનપુરાના આધેડને તેના મિત્રએ 3 લાખનો ચુનો ચોપડ્યો


સુરત, 19 જૂન (હિ.સ.)- નાનપુરા વિસ્તારમાં રહેતા આધેડ પાસેથી તેના મિત્રઍ ધંધા માટે હાથ ઉછીના ત્રણ લાખ પરત નહી આપી છેતરપિંડી કરતા મામલો પોલીસમાં પહોચ્યો છે.

અઠવા પોલીસના જણાવ્યા મુજબ નાનપુરા અથુગર મહોલ્લો, રાજેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા અનેનિવુત જીવન ગુજારતા રમણીકલાલ હઠીલાલ શાહ પાસેથી બાંધકામનું કામકાજ કરતા તેમના સમાજના અને ગામ ડો. દિનેશ ચંદુભાઈ શાહ (રહે, લીજન્ડ ઍપાર્ટમેન્ટ, દેરાસરની પાસે, પાણીની ટાંકીની પાછળ, વેસુ)ઍ ધંધા માટે નાણાંની જરૂરીયાત પડતા ૧૦ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ હાથ ઉછીના ૫ લાખ લીધા હતા. આ પૈસા રમણીકલાલે ચેકથી આપ્યા હતા. ડો. દિનેશ શાહઍ તેમનેજયારે પૈસાની જરૂર પડશે ત્યારે પરત આપી દેવાનો ભરોસો આપ્યો હતો. દરમિયાન સને ૨૦૨૪માં રમણીકલાલને પૈસાની જરૂર પ઼ડતા ડો. દિનેશ શાહ પાસે તેમના પૈસાની માંગણી કરતા ટુકડે ટુકડે કરી ૨ લાખ આપ્યા હતા. જયારે બાકીના ૩ લાખની માંગણી કરતા ખોટા ખોટા વાયદાઓ કરતા હોવાથી તેમની સામે પોલીસમાં અરજી કરી હતી.

આ અરજીના કારણે પોલીસે ડો. દિનેશ શાહનુ નીવેદન લેતા તેઓએ રમણીકલાલને તેમના બાકી નિકળતા ૩ લાખ ચુકવી આપવા અંગે બાહેધરી આપી હતી અને ઍક લાખના ત્રણ ચેકો આપ્યા હતા. જે ચેક રમણીકલાલે તેમના બેન્કના ખાતામાં જમા કરાવતા ખાતામાં પુરતા નાણાં નહી હોવાના કારણે રિર્ટન થયો હતો. ત્યારબાદ દિનેશ શાહઍ મોબાઈલ ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. આખરે રમણીકલાલ શાહઍ ગતરોજ ડો. દિનેશ શાહ સામે ફરિયાદ નોîધાવતા અઠવા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande