ગીર સોમનાથ 19 જૂન (હિ.સ.) અમદાવાદમાં થયેલ વિમાન અકસ્માતમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અનેક મુસાફરોએ પ્રાણ ગુમાવ્યા છે તે ઘટના સમગ્ર દેશ માટે અત્યંત દુઃખદ છે આ દુખદ દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક પેરીત તેવી જાગરણ શ્રેણી કોડીનાર શાખા દ્વારા એક શોકસભા નું આયોજન કરાયું હતું આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ શહેરીજનો જાહેર પ્રતિનિધિઓ, લોકોએ હાજર રહીને મૌન પાળી દિવંગત આત્માઓ માટે પ્રાર્થના કરી અને રામધૂન તેમજ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ