અડાજણમાં પત્નીના 96 તોલા દાગીના ચોરી પતિ ફરાર
સુરત, 19 જૂન (હિ.સ.)- અડાજણ, આંનદ મહલ રોડ વિસ્તારમાં રહેતી પરિણીતાના ઘરમાંથી તેના જ પતિએ રૂપિયા ૪૧.૨૩ લાખની કિંમતના ૯૬ તોલા સોનાના દાગીના ચોરી વેચી નાંખ્યા હતા. અને આ પૈસા શેરબજારમાં હારી ગયો હતો. પત્નીએ દાગીની માંગણી કરતા સોની પાસેથી છોડાવી આપી દેવા
અડાજણમાં પત્નીના 96 તોલા દાગીના ચોરી પતિ ફરાર


સુરત, 19 જૂન (હિ.સ.)- અડાજણ, આંનદ મહલ રોડ વિસ્તારમાં રહેતી પરિણીતાના ઘરમાંથી તેના જ પતિએ રૂપિયા ૪૧.૨૩ લાખની કિંમતના ૯૬ તોલા સોનાના દાગીના ચોરી વેચી નાંખ્યા હતા. અને આ પૈસા શેરબજારમાં હારી ગયો હતો. પત્નીએ દાગીની માંગણી કરતા સોની પાસેથી છોડાવી આપી દેવાનું કહી શિરડી દર્શન કરવા બહાને ઘરેથી ભાગી ગયો હતો અને ત્યારબાદ પત્નીનો મોબાઈલ નંબર બ્લોકમાં મૂકી દીધો હતો. આખરે આ મામલે પત્નીએ ગતરોજ ફરિયાદ નોધાવતા પોલીસે તેના પતિ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અડાજણ પોલીસના જણાવ્યા મુજબ અડાજણ, આનંદમહલ રોડ, યુનાઈટેડ ગ્રીન હોસ્પિટલની પાછળ,સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા પ્રિ­યંકાબેન હરિકૂષ્ણ પરમાર (ઉ.વ.૩૦) ઘોડદોડ રોડ શિવશક્તિ સ્વીટ્સની બાજુમાં આવેલ કલામંદિર જવેલર્સમાં કંપની સેક્રેટરી તરીકે નોકરી કરે છે. અગાઉ પ્રિયંકાબેન સુરત મામાના ઘરે આવ્યા ત્યારે તેમની મુલાકાત હરિકૃષ્ણ પરમાર સાથે થઈ હતી અને બંને વચ્ચે મિત્રતા થયા બાદ બંનેને એકબીજા સાથે પ્રેમ થયો હતો. જેથી બાદમાં પ્રિ­યંકાના ૨૪ જાન્યુઆરી ૨૦૧૭માં રાજકોટમાં સમાજના રિતરિવાજ પ્રમાણે હરિકૂષ્ણ પરમાર સાથે લગન થયા હતા અને લગ્ન જીવન દરમિયાન બે સંતાન છે. પ્રિ­યંકાબેન છેલ્લા ચાર વર્ષથી તેના માતા પિતા સાથે પિયરમાં રહે છે. પ્રિ­યંકાબેનએ તેમના તમામ દાગીના પણ પોતાની સાથે લાવી પિયરના બેડરૂમમાં લોકરમાં મુકી રાખ્યા હતા. પ્રિ­યંકાબેન, હરિકૂષ્ણ તેમજ બંને સંતાનો સાથે ૪ મેના રોજ દ્રારકા ફરવા માટે ગયા હતા. અને ત્યાંથી પરત ઘરે આવ્યા બાદ લોકરમાં જુમર બુટ્ટી મુકવા માટે ખોલતા લોકરમાંથી રૂપિયા ૪૧,૨૩,૦૦૦ના મત્તાના ૯૬ તોલા દાગીના ચોરાયા હોવાનુ બહાર આવ્યું હતું. આ અંગે પ્રિ­યકાબેનએ તેના મામાને ઘરે બોલાવતા તેઓ ઘરે આવ્યા હતા. અને દાગીના અંગે હરિકૂષ્ણ પરમારને પુછતા પોતે સાસુ હોસ્પિટલમાં દાખલ હતા તે વખતે લોકરમાંથી ચોરી કરી સોનીને વેચ્યા હતા અને તે દાગીનાના પૈસા શેરબજારમાં હારી ગયો હોવાની કબુલાત કરી હતી. પ્રિ­યંકાબેનએ દાગીની માંગણી કરતા હરિકૂષ્ણ પરમારે સોની પાસેથી છોડાવી પરત આપવાની વાત કર્યા બાદ એક દિવસ શિરડી દર્શન કરવા માટે ગયા બાદ પરત ઘરે આવ્યા ન હતા અને પ્રિ­યંકાબેનનો મોબાઈલ નંબર બ્લોકમાં મૂકી દીધી હતો. આખરે પ્રિ­યંકાબેનએ આ મામલે ગતરોજ ફરિયાદ નોધાવતા અડાજણ પોલીસે તેમની ફરિયાદને આધારે હરિકૂષ્ણ ભગવાનસિંહ પરમાર (રહે,સિલ્વર પાર્ક સોસાયટી આનંદમહલ રોડ અડાજણ તથા ભક્તિધામ ટાઉનશીપ, પાલનપુર જકાતનાકા અડાજણ) સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

સાસુના ઓપરેશન માટે પૈસાની જરૂર હોવાનુ કહી સોનીને દાગીના વેચ્યા

હરિકૂષ્ણ પરમારે દાગીના તેની સાસુ હોસ્પિટલમાં દાખલ હતા તે વખતે ચાવી ચોરી કરી લોકર ખોલી અંદર મુકેલા દાગીના ચોરી કર્યા હતા. ત્યારબાદ આ ૯૦ તોલા દાગીના ઉધના દરવાજા ખાતે રાજેશ સોનીને વેચ્યા હતા. પ્રિયંકા અને તેના પરિવારે રાજેશ સોનીને ફોન કરી પુછતા તેઓએ હરિકૂષ્ણ પરમારે તેની સાસુ હોસ્પિટલમાં દાખલ છે અને ઓપરેશન કરવા માટે પૈસા સખત જરૂર છે. જેથી પોતાના અને પત્નીના સોનાના દાગીના વેચવા માટે આવ્યો હોવાની સ્ટોરી કરી હતી.

શેરબજારમાં રોકાણ કરવા માટે પત્નીના નામે પર્સનલ લોન લીધી હતી

હરિકૂષ્ણ પરમારે તેની પત્નીના ૯૬ તોલા દાગીના ચોરી વેચી નાંખ્યા હતા અને આ પૈસા શેરબજારમાં હારી ગયો હતો. હરિકૂષ્ણ પરમારે આ પહેલા પણ તેની પત્ની પ્રિ­યંકાબેનના નામે એચડીએફસી બેન્કમાંથી ૪.૫૦ લાખની પર્સનલ લોન લેવડાવી હતી. તે પૈસા તેમજ પત્નીના ડિબેટ એકાઉન્ટમાંથી શેર વેચી ૨ લાખ પણ લઈ શેરબજારમાં હારી ગયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande