ગાંધીનગર, 19 જૂન (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની સ્મૃતિવંદના માટે ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્વ. વિજયભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ દિવંગત વિજયભાઈના ધર્મપત્ની અંજલિબેન તથા પુત્ર ઋષભ સહિત શોકસંતપ્ત પરિવારજનોને સાંત્વના પણ પાઠવી હતી.
આ પ્રાર્થના સભામાં મંત્રીઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ, હોદ્દેદારો તેમજ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ